ઇરાકઃ બગદાદમાં કારમાં બોમ્બ વિસ્ફોટ, 51ના મોત, 60 ઘાયલ
દક્ષિણ બગદાદમાં બાયા ક્ષેત્રમાં આ વિસ્ફોટ થયો હતો, જ્યાં મંગળવારે પણ એક કાર વિસ્ફોટમાં ઓછામાં ઓછા 11 લોકોનું મૃત્યુ થયું હતું. આઇએસઆઇએસ એ આ હુમલાની જવાબદારી લીધી છે.
ઇરાક ની રાજધાની બગદાદ ના દક્ષિણ વિસ્તારના બાયા ક્ષેત્રમાં એક શક્તિશાળી કાર બોમ્બ વિસ્ફોટ માં ઓછામાં ઓછા 51 લોકોનું મૃત્યુ થયું છે અને 60થી વધુ લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટ બાયા વિસ્તારમાં થયો, જ્યાં મંગળવારે પણ એક કાર વિસ્ફોટમાં ઓછામાં ઓછા 11 લોકોનું મૃત્યુ થયું હતું. સ્થાનિક સમયાનુસાર ગુરૂવારે સાંજે 4.15 વાગે આ હુમલો થયો હતો. ત્રણ દવિસની અંદર ઇરાકમાં આ ત્રીજો મોટો હુમલો છે.

સૂચના મળતાં જ ઘટનાસ્થળે રાહતકાર્યો શરૂ કરવામાં આવ્યા હતા અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યાં હતા. બગદાદના સીનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ હુમલો એટલો ભયાનક હતો અને નુકસાન એટલું વધારે થયું છે કે આ પરિસ્થિતિ સામાન્ય થતાં વાર લાગશે. તેમણે 50થી વધુ લોકોનું મૃત્યુ થયું હોવાની અને મૃતકોની સંખ્યા વધવાની શક્યતા હોવાનું પણ જણાવ્યું હતું.
આ હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન આઇએસઆઇએસ એ લીધી છે. સીએનએનના અહેવાલો અનુસાર એક પ્રેસ નોટ દ્વારા આતંકવાદી સંગઠને વિસ્ફોટની જવાબદારી સ્વીકારી છે.
-
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો







Click it and Unblock the Notifications
