ચીનમાં 6.3 તીવ્રતાના ભૂકંપથી હાહાકાર, 368ના મોત
પેઇચિંગ, 4 ઓગસ્ટ: ચીનના દક્ષિણ-પશ્ચિમી પ્રાંત યુનાનમાં 6.3 તીવ્રતાના ભૂકંપે જોરદાર તબાહી મચાવી છે. સ્ટેટની અધિકારીક ન્યૂઝ એજન્સી શિન્હુઆનો દાવો છે કે આ ભૂકંપમાં અત્યાર સુધી 368 લોકોના મોત થયા છે. ચીનમાં આવેલા આ વિનાશકારી ભૂકંપમાં લગભગ 2000થી વધારે લોકો ઘાયલ પણ થયા છે. જ્યારે 180 અન્ય લોકો ગુમ થઇ ગયા છે.
ભૂકંપ પેઇચિંગના સમયાનુસાર સાંજે સાડા 4 વાગ્યે (જીએમટી સવારે 8 વાગ્યે) 12 કિલોમીટરના ઊંડાણમાં આવ્યો અને તેનું કેન્દ્ર લોંગટૂશાન ટાઉનશિપમાં હતું. આ ઝાઓતોંગ શહેરના લુડિયન કાઉંટીથી દક્ષિણ પશ્ચિમ દિશામાં 23 કિલોમીટરના અંતર પર સ્થિત છે.
લોંગટૂશાન ટાઉનશિપમાં બચાવકાર્યમાં સ્વયંસેવક તરીકે કામ કરી રહેલા કોલેજ વિદ્યાર્થી મા હાઓએ શિન્હુઆને જણાવ્યું કે તેણે કાટમાળમાં દબાયેલ મૃતદેહો અને ગિરી ઇમારતોથી 40 થી વધારે ઘાયલ લોકોને બહાર નિકાળવામાં મદદ કરી. લુડિયાન કાઉંટીના એક રહેવાસીએ શિન્દુઆને જણાવ્યું, 'મે પાંચમા માળ પર સ્થિત મારા ઘરમાં જોરદાર ઝટકાનો અનુભવ કર્યો અને મારા ઘરમાં બધી વસ્તુઓ નીચે પડવા લાગી.'
સ્થાનીકોના જણાવ્યા પ્રમાણે ભૂકંપ આવવાના કારણે વીજળી પ્રવાહ અને દૂરસંચાર સેવા ખોરવાઇ ગઇ. તેમજ ઠેરઠેર માર્ગ ક્ષતિગ્રસ્ત થવાના કારણે વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો. હજી પણ અત્રે બચાવ કામગીરી ચાલું છે.