ચીન-ભારત રણનીતિક ભાગીદારઃ ચીની મીડિયા
ચીની મીડિયાએ ચેતવણી કરી છે કે અમેરિકન અને પશ્ચિમ મીડિયાએ બે શક્તિશાળી એશિયાઇ દેશો વચ્ચે તણાવ પેદા કરવાનો પ્રયત્ન કર્યો છે, જેથી બન્ને પાડોશી દેશનો વિકાસ અટકી જાય.
ભારત-ચીનના સંબંધોના વિસંગતિ કોણે જન્માવીઃ હૂ સોસ ડિસકોર્ડ ઇન ઇન્ડિયા ચાઇના રિલેશંસઃ શીર્ષખ હેઠળના લેખમાં શંઘાઇના અખબાર લિબરેશન ડેલીએ ભારત અને ચીન વચ્ચે મજબૂત સંબંધો અંગે પ્રધાનમંત્રી મનમોહન સિંહના ભાષણનો હવાલો આપ્યો હતો.
આજે 1962 ભારત-ચીન યુદ્ધને 50 વર્ષ પૂર્ણ થવા પર પ્રભાવશાળી અખબારે કહ્યું કે ભારત કોઇ પણ ચીન વિરોધી ક્રિયાકલાપ માટે પોતાના ક્ષેત્રના ઉપયોગની અનુમતિ નથી આપી રહ્યું છે અને તિબેટ સ્વાયત ક્ષેત્રમાં ચીનને અધિકાર ક્ષેત્રમાં માને છે, જે સકારાત્મક સંકેત છે.
ભારતીય મીડિયામાં યુદ્ધના 50 વર્ષ પૂર્ણ થવાની પૂર્વ સંઘ્યા પર યુદ્ધને ભુલાવી દેવા જોઇએ તેવુ આહવાનવાળા લેખોના સંદર્ભમાં કહ્યું કે ચીન સાથે સારા સંબંધો માટે ભારતીય નેતૃત્વ દ્વારા અપનાવવામાં આવેલા વિવેકપૂર્ણ રુખ વખાણવાલાયક છે.