Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ચીન: શી જિનપિંગની તાજપોશી પહેલા બેઇજિંગમાં વિરોધ પ્રદર્શન, તાનાશાહ હટાઓના બેનર લાગ્યા

ચીનમાં શી જિનપિંગને લઇ લોકો વિરોધ કરી રહ્યા છે. ચીનના મોટા શહેર બેઇજિંગમાં મોટી સંખ્યામાં જીનપિંગનો વિરોધ કરી રહ્યા છે. લોકોએ તાનાશાહ હટાઓના બેનર લગાવ્યા છે. ઉલ્લેખનિય છેકે આજથી બે દિવસ પછી એટલે કે 16 ઓક્ટોમ્બરે નેશનલ કો

ચીનમાં શી જિનપિંગને લઇ લોકો વિરોધ કરી રહ્યા છે. ચીનના મોટા શહેર બેઇજિંગમાં મોટી સંખ્યામાં જીનપિંગનો વિરોધ કરી રહ્યા છે. લોકોએ તાનાશાહ હટાઓના બેનર લગાવ્યા છે. ઉલ્લેખનિય છેકે આજથી બે દિવસ પછી એટલે કે 16 ઓક્ટોમ્બરે નેશનલ કોંગ્રેસની બેઠક યોજાવા જઇ રહી છે. આ બેઠકમાં ફરી જિનપિંગની તાજપોશી થઇ શકે છે.

ઉલ્લેખનિય છેકે કોંગ્રેસની બેઠક પહેલા જ રોડ પર જિનપિંગના વિરોધમાં લોકો ઉતરી આવ્યા છે. બેઇજિંગમાં પત્રકાર સ્ટીફન મેકડોનેલે ટ્વીટ કર્યું કે બેનરમાં લખેલા સ્લોગન ચીનની ઝીરો કોવિડ નીતિઓના વિરોધમાં છે. સ્લોગનમાં લખ્યું હતું કે 'અમને કોવિડ ટેસ્ટ નથી જોઈતા, અમને લોકડાઉન નથી જોઈતું, અમને સ્વતંત્રતા જોઈએ છે'.

શી જિનપિંગ વિરૂદ્ધ લાગ્યા બેનર

શી જિનપિંગ વિરૂદ્ધ લાગ્યા બેનર

CPCની બેઠક અને શી જિનપિંગના રાજ્યાભિષેક પહેલા પણ જિનપિંગ વિરોધી સૂત્રોચ્ચારોએ તેમને સરમુખત્યાર અને દેશદ્રોહી કહ્યા છે. એક અહેવાલ અનુસાર સોશિયલ મીડિયા પર વીડિયો અને તસવીરો વાયરલ થયા બાદ સત્તાવાળાઓએ હૈદિયન જિલ્લામાં લગાવવામાં આવેલા જિનપિંગ વિરોધી બેનરને તાત્કાલિક હટાવી દીધા હતા. રિપોર્ટ અનુસાર તે વિસ્તારમાંથી કાળો ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો.

તાનાશાહને હટાવો

તાનાશાહને હટાવો

ટ્વિટર પર શેર કરવામાં આવેલી કેટલીક તસવીરોમાં રસ્તા પર ધુમાડો અને બેનર જોઈ શકાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બેનરમાં શી જિનપિંગને તાનાશાહ અને દેશદ્રોહી પણ કહેવામાં આવ્યા છે. એક બેનરમાં લખ્યું હતું કે, 'અમે સુધારા ઈચ્છીએ છીએ, સાંસ્કૃતિક ક્રાંતિ નહીં. અમને કોરોના ટેસ્ટની જરૂર નથી પરંતુ ખોરાકની જરૂર છે. સરમુખત્યાર જિનપિંગને હટાવો. બેનરો પર લખવામાં આવ્યું હતું કે, 'ચાલો આપણે શાળાની બહાર હડતાળ કરીએ અને કામ કરીએ અને સરમુખત્યાર શી જિનપિંગને હટાવીએ. અમને કોવિડ ટેસ્ટ નથી જોઈતા, અમને લોકડાઉન નથી જોઈતું, અમને સ્વતંત્રતા જોઈએ છે.' આવા વિરોધી નારાઓએ શાસક સામ્યવાદીના નેતાઓને સાવધાન કરી દીધા છે.

તાનાશાહ અને દેશદ્રોહીના નારા લાગ્યા

તાનાશાહ અને દેશદ્રોહીના નારા લાગ્યા

તમને જણાવી દઈએ કે ચીનમાં 1949ની સામ્યવાદી ક્રાંતિ બાદથી ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીનું શાસન છે. દેશમાં લોકશાહી નથી અને માત્ર એક જ પક્ષ વૈકલ્પિક રીતે સત્તાની ટોચ પર કબજો કરે છે. અગાઉ ચીનમાં અત્યાર સુધી રાષ્ટ્રપતિ માટે 5-5 વર્ષની મહત્તમ 2 ટર્મની મર્યાદા નક્કી કરવામાં આવી હતી. જો કે, શી જિનપિંગના કહેવા પર ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીએ છેલ્લી બેઠકમાં તે શરત દૂર કરી હતી. હવે જ્યારે તે શરતો દૂર કરવામાં આવી છે, તો જિનપિંગ માટે આજીવન પદ પર રહેવાનો રસ્તો સાફ થઈ ગયો છે.

જિનપિંગની તાજપોશીની તૈયારીઓ

16 ઓક્ટોબરે યોજાનારી CPC બેઠકમાં ત્રીજી વખત રાષ્ટ્રપતિ શી જિનપિંગના રાજ્યાભિષેકની તૈયારીઓ કરવામાં આવી રહી છે. હવે જ્યારે વિરોધના મોજાં ઉછળવા લાગ્યા છે ત્યારે સામ્યવાદી પક્ષના સંમેલનને ધ્યાનમાં રાખીને પોલીસ પણ હાઈ એલર્ટ મોડ પર છે. હજુ સુધી, તે સ્પષ્ટ નથી કે બેનરો કોણે, ક્યારે અને કેવી રીતે લટકાવ્યા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X