Coronavirus: ચીનમાં કોરોના વાયરસના કારણે 170 લોકોના મોત, 7700થી વધુ લોકોમાં સંક્રમણ
ચીનમાં ખતરનાક કોરાના વાયરસના કારણે મૃતકોનો આંકડો 170 સુધી પહોંચી ગયો છે.
ચીનમાં ખતરનાક કોરાના વાયરસના કારણે મૃતકોનો આંકડો 170 સુધી પહોંચી ગયો છે. ગુરુવારે ચીનના આરોગ્ય અધિકારીઓ તરફથી આ અંગેની માહિતી આપવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યુ છે કે આ બિમારીથી અત્યાર સુધી 7700થી વધુ લોકો સંક્રમિત જોવા મળ્યા છે. આ દરમિયાન વિશ્વ આરોગ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ)ના અંગત ટેડરૉસ એડહૈનામો ગેબ્રેઈસેસે કહ્યુ છે કે સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે.

16 દેશો સુધી ફેલાયો કોરોના વાયરસ
ચીનના નેશનલ હેલ્થ કમિશન (એનએચસી) તરફથી જણાવવામાં આવ્યુ છે કે 1370 લોકોની હાલત નાજુક છે. 12,167 લોકોમા આ વાયરસના લક્ષણ જોવા મળ્યા છે. બેઈજિંગમાં અત્યાર સુધી 111 લોકોમાં વાયરસની પુષ્ટિ કરવામાં આવી છે. વળી, શંઘાઈમાં પણ 100થી વધુ લોકોમાં ઈનફેક્શન જોવા મળ્યુ છે. હુબેઈ પ્રાંતમાં એકલા મૃતકોનો આંકડો 160 પાર થઈ ગયો છે અને વુહાન જે આ વાયરસનુ કેન્દ્ર છે, ત્યાં વાયરસ અત્યાર સુધી દુનિયાના 16 દેશોમાં પોતાની દસ્તક આપી ચૂક્યુ છે. સ્થિતિ વિશે જેનેવા સ્થિત ઈન્ટરનેશનલ હેલ્થ રેગ્યુલેશન્સ ઈમરજન્સી કમિટીને ફરીથી આ વિશે માહિતી આપવામાં આવી છે.
કમિટીને સલાહ આપવામાં આવી છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે આને હેલ્થ ઈમરજન્સી ઘોષિત કરે. સંગઠન તરફથી કહેવામાં આવ્યુ છે કે તે આ વાત પર પણ બારીકાઈથી નજર રાખી રહ્યા છે કે છેવટે ચીન આ સમસ્યાથી નિપટવા માટે શું કરી રહ્યા છે. ભલે જ ચીનની બહાર આનાથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા ઓછી હોય પરંતુ આ મોટાપાયે ફેલાઈને રોગચાળાનુ રૂપ ધારણ કરી શકે છે.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા








Click it and Unblock the Notifications
