બેનઝિર ભુટ્ટો હત્યાકાંડમાં પરવેઝ મુશર્રફ ભાગેડુ જાહેર
બેનઝિર ભુટ્ટો હત્યાકાંડ કેસ પર અદાલતનો નિર્ણય વાંચો અહીં.
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન બેનઝિર ભુટ્ટો હત્યાકાંડમાં ગુરૂવારે આતંકવાદ નિરોધી અદાલતે પોતાનો ચુકાદો આપ્યો છે. ધરપકડ કરવામાં આવેલ તમામ 5 આરોપીઓને ગુરૂવારે છોડી દેવામાં આવ્યા હતા અને પૂર્વ તાનાશાહ પરવેઝ મુશર્રફને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે. સાથે જ રાવલપિંડીના પૂર્વ સીપીઓ સઊદ અઝીઝ અને રાવલના પૂર્વ સાંસદ ખુર્રમ શહઝાદને 17 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. બંને અધિકારીઓની અદાલતથી જ ધરપકડ કરવામાં આવી હતી. પ્રોસિક્યૂશન દ્વારા બુધવારે(30 ઓગસ્ટ)ના રોજ અદાલત સમક્ષ પોતાનો પક્ષ મુકવામાં આવ્યો હતો. આતંકવાદ નિરોધી અદાલત(એટીસી), રાવલપિંડીના જજ મોહમ્મદ અસગર ખાને બેનઝિર ભુટ્ટો હત્યાના મામલે પોતાનો ચુકાદો ગુરૂવારે આપ્યો હતો.

છેલ્લા 9 વર્ષથી આ કેસ ચાલી રહ્યો છે, પાકિસ્તાન પીપલ્સ પાર્ટી(પીપીપી)ના અધ્યક્ષ અને પાકિસ્તાનના બે વાર વડાપ્રધાન રહી ચૂકેલ બેનઝિર ભુટ્ટોની રાવલપિંડીમાં 27 ડિસેમ્બર, 2007ના રોજ એક ચૂંટણી રેલી દરમિયાન હત્યા થઇ હતી. આ એક આત્મઘાતી હુમલો હતો. આ કેસમાં બુધવારની સુનવણીમાં એતજાઝ શાહના વકીલ નસીર તાનોલીએ પોતાની દલીલમાં કહ્યું હતું કે, એફઆઇએની તપાસમાં ઘણી ખામીઓ છે. આ મામલામાં આરોપીને એ પણ પૂછવામાં નથી આવ્યું કે, તેમની ધરપકડ કયા કારણે થઇ છે. આ દલીલ સામે વકીલે તર્ક આપતાં કહ્યું હતું કે, એતજાઝ શાહના આત્મઘાતી હુમલાખોર જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ સેમિનરી પ્રશાસનની એ અંગે પૂછપરછ કરવામાં નહોતી આવી કે, તેઓ ક્યાંથી પ્રશિક્ષણ લઇ રહ્યાં છે.
પાકિસ્તીનની તપાસ એજન્સિ એફઆઇએના વકીલ ચૌધરી અઝહરે પોતાની દલીલમાં કહ્યું હતું કે, હુમલો વાહનની બહાર કરવામાં આવ્યો હતો, અંદર નહીં. તો પછી વાહનોમાં બેઠેલા લોકોની પૂછપરછ કેમ કરવામાં આવી? પોલીસ તરફથી પણ આરોપીઓની ધરપકડની તારીખમાં ભૂલ થઇ છે, જે એફઆઇએમાં નથી.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
