ચીન: ડોકલામ અમારું છે, ભારત ગયા વર્ષની ઘટનાઓથી કંઈક શીખે
ચીનમાં ભારતીય રાજદૂત ગૌતમ બામ્બાવલે ઘ્વારા આપવામાં આવેલા નિવેદન પછી ચીને ચેતવણી આપતા ડોકલામ પોતાનો હિસ્સો ગણાવ્યો છે.
ચીનમાં ભારતીય રાજદૂત ગૌતમ બામ્બાવલે ઘ્વારા આપવામાં આવેલા નિવેદન પછી ચીને ચેતવણી આપતા ડોકલામ પોતાનો હિસ્સો ગણાવ્યો છે. તેમને જણાવ્યું કે ડોકલામ તેમના અધિકાર ક્ષેત્રમાં આવે છે અને ભારતે ગયા વર્ષની ઘટનાઓથી કંઈક શીખ લેવી જોઈએ. ભારતના રાજદૂત ગૌતમ બામ્બાવલે ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો ચીન સીમા પર પરિસ્થિતિ બદલવાની કોશિશ કરશે તો તેનો અંઝામ સારો નહીં આવે. તેના જવાબમાં ચીને ભારતને ચેતવણી આપી છે. ગૌતમ બામ્બાવલે ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગયા વર્ષે ચીનને કારણે ડોકલામ જેવી ઘટના ઘટી હતી.

ચીન વિદેશ મંત્રાલય
ચીન વિદેશ મંત્રાલય પ્રવક્તા ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે ડોકલામ ચીનનો હિસ્સો છે કારણકે તેમની પાસે જુના સંધિપત્ર છે. ડોકલામ માં ચીનની ગતિવિધિઓ તેમના અધિકારને આધીન છે. અહીં બદલવા જેવું કઈ જ નથી.

73 દિવસો સુધી ડેરો
તેમને આગળ જણાવ્યું કે ભારતે આભાર માનવો જોઈએ કે અમારા પ્રયાસ અને બુદ્દિમત્તા ને કારણે અમે ગયા વર્ષે આ વિવાદ ઉકેલી નાખ્યો હતો. અમે આશા રાખીયે છે કે ભારત તેનાથી કંઈક શીખ લેશે અને સંધિપત્ર માનશે. ગયા વર્ષે ભારત અને ચીન સેના ડોકલામ સિક્કિમ ક્ષેત્રમાં લગભગ 73 દિવસો સુધી ડેરો નાખીને બેઠા હતા.

ફરી થશે ડોકલામ વિવાદ
ચીનમાં હાજર ભારતના રાજદૂત ગૌતમ બામ્બાવલે ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો ચીન સીમા પર પરિસ્થિતિ બદલવાની કોશિશ કરશે તો તેનો અંઝામ સારો નહીં આવે. સરહદી વિસ્તારમાં નિર્માણ કરતા પહેલા ચીન ભારતને જાણ કરે. એવું માનવામાં આવે છે કે ચીન ચંબુ વેલીમાં પોતાની પકડ મજબૂત બનાવવા માટે ડોકલામ પર કબ્જો કરવાની તૈયારીમાં છે. સૂત્રો અનુસાર ચીને અહીં 1.3 કિલોમીટર લાંબા રોડનું પણ નિર્માણ કરી નાખ્યું છે.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી










Click it and Unblock the Notifications
