અમેરિકામાં નોકરીનુ સપનુ જોઈ રહેલ લોકોને ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યો મોટો ઝટકો
અમેરિકામાં નોકરી કરવાનુ સપનુ જોઈ રહેલ ભારતીય આઈટી પ્રોફેશનલને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો ઝટકો આપ્યો છે.
અમેરિકામાં નોકરી કરવાનુ સપનુ જોઈ રહેલ ભારતીય આઈટી પ્રોફેશનલને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો ઝટકો આપ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે ત્યારબાદ દેશની બહારના લોકો અમેરિકામમાં નોકરી કરવા ઈચ્છે છે તેમની સાથે અમેરિકી કંપનીઓ કૉન્ટ્રાક્ટ નહિ કરી શકે. આ આદેશની સૌથી વધુ અસર એછ-1બી વિઝા ધારકોને થશે. આ આદેશ બાદ હવે તે તમામ કંપનીઓ જે એચ-બી વિઝાના આધારે જ બીજા દેશના લોકોને નોકરી આે છે તે હવે આવુ નહિ કરી શકે. તમને જણાવી દઈએ કે 23 જૂને ડોનાલ્ડ ટ્રમ્પે એચ-1બી વિઝાને સસ્પેન્ડ કરી દીધા હતા. ટ્રમ્પ સરકારે 24 જૂનથી જ આ આદેશને લાગુ કરી દીધો હતો કે જે આ વર્ષના અંત સુધી લાગુ રહેશે.

સોમવારે મીડિયા સાથે વાત કરીને ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે આજે હું એક્ઝીક્યુટીવ ઑર્ડર પર હસ્તાક્ષર કરી રહ્યો છુ જેથી એ વિશે પુષ્ટિ કરી શકુ કે ફેડરલ સરકાર ખૂબ જ સરળ નિયમોથી ચાલતી, અમેરિકી લોકોને નોકરી આપે. અમારી સરકાર એ બિલકુલ સહન નહિ કરે કે મહેનતુ અમેરિકી લોકોને સસ્તા વિદેશી લેબર માટે નોકરીમાંથી બહાર કાઢી મૂકવામાં આવે. ટ્રમ્પે કહ્યુ કે એચ-1બી વિઝાના નિયમોમાં ફેરફારથી અમેરિકી લોકોને એક વાર ફરીથી નોકરી મળશે. એચ-1બી વિઝાનો ઉપયોગ ખૂબ જ વધુ પ્રતિભાશાળી અને હાઈ સેલેરીવાળા માટે રહેશે નહિ કે અમેરિકી લોકોનો રોજગાર છીનવા માટે.
તમને જણાવી દઈએ કે એચ-1બી વિઝા એક બિન-પ્રવાસી વિઝા છે જે અમેરિકી કંપનીઓને વિશેષજ્ઞતાના આધારે વિદેશી કર્મચારીઓને નોકરી પર રાખવાની મંજૂરી આપી છે જેના માટે અતિવિશિષ્ટ જ્ઞાન અને કોઈ ખાસ ક્ષેત્રમાં સ્નાતક કે ઉચ્ચ ડિગ્રીની જરૂર પડે છે. તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ 2015માં આ આદેશ જારી કર્યો હતો જેમાં અમુક શ્રેણીઓના એચ-4 વિઝા ધારકો ખાસ રીતે ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલ એચ-1બી વિઝા ધારકોના જીવનસાથીઓને અમેરિકામાં રહીને કામ કરવાની મંજૂરીની જોગવાઈ છે. આ વિઝા દ્વારા પ્રૌદ્યોગિકી કંપનીઓ ભારત અને ચીન જેવા દેશોમાંથી દર વર્ષે હજારો કર્મચારીઓની ભરતી કરે છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
