નેપાળમાં પૂર: 43 લોકોની મૌત, 20 ઘાયલ, 24 લાપતા
ભારે વરસાદ અને પૂરને લીધે નેપાળના લોકો તીવ્ર દુર્ઘટનાનો સામનો કરી રહ્યા છે. પૂરને કારણે 43 લોકો માર્યા ગયા છે.
ભારે વરસાદ અને પૂરને લીધે નેપાળના લોકો તીવ્ર દુર્ઘટનાનો સામનો કરી રહ્યા છે. પૂરને કારણે 43 લોકો માર્યા ગયા છે. તે જ સમયે, 24 લોકો હજી ગુમ છે, જ્યારે 20 લોકો પૂરમાં ઇજાગ્રસ્ત થયા છે. નેપાળમાં પૂર અને ભૂસ્ખલનને કારણે સતત લોકોના જીવન પર સંકટ તોળાઈ રહ્યું છે. લોકોને સલામત સ્થળે લાવવા માટે સતત રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. માહિતી અનુસાર ફક્ત સિમરા જીલ્લામાં જ 24 કલાકમાં 31 સેન્ટિમીટર પાણી વરસી ચૂક્યું છે.
બીજી બાજુ, નેપાળમાં પૂરને કારણે ભૂસ્ખલનનું જોખમ વધી ગયું છે, લોકોનું જીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઇ ગયું છે. શહેરોને જોડતા હાઇવે પર ટ્રાફિક ગંભીર રીતે પ્રભાવિત છે, ઘણી નદીઓના પાણીનું સ્તર નોંધપાત્ર રીતે વધી ગયું છે. હવામાનશાસ્ત્ર વિભાગના જણાવ્યા મુજબ આગામી સમયમાં વધુ વરસાદ થવાની સંભાવના છે. ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે રાહત અને બચાવ કામગીરી ઝડપી થઈ રહી છે. આ પૂરથી છ હજાર લોકો પ્રભાવિત થયા છે.
#UPDATE Nepal Police: 43 people dead, 24 missing, & 20 injured due to flooding and landslide in the country, following incessant rainfall. pic.twitter.com/S4gtQGUjJA
— ANI (@ANI) July 14, 2019