For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જી-7 દેશ 31 ઓગસ્ટ સુધીમાં કાબુલ એરપોર્ટ ખાલી નહીં કરે!

વિશ્વની સાત વિકસિત અર્થવ્યવસ્થાઓની બનેલા G-7 એ કહ્યું કે તે 31 ઓગસ્ટ સુધીમાં કાબુલ એરપોર્ટ ખાલી નહીં કરે. તાલિબાને ઉડાન ભરવા ઇચ્છતા અફઘાન નાગરિકોને સલામત માર્ગ આપવો પડશે.

|
Google Oneindia Gujarati News

વિશ્વની સાત વિકસિત અર્થવ્યવસ્થાઓની બનેલા G-7 એ કહ્યું કે તે 31 ઓગસ્ટ સુધીમાં કાબુલ એરપોર્ટ ખાલી નહીં કરે. તાલિબાને ઉડાન ભરવા ઇચ્છતા અફઘાન નાગરિકોને સલામત માર્ગ આપવો પડશે. આ માહિતી આપતા બ્રિટીશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને કહ્યું કે, તમામ દેશોએ તાલિબાન સાથેના કોઈપણ સંપર્કની આ પ્રથમ શરત માની છે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું છે કે અફઘાનિસ્તાનને તાલિબાનનો સહયોગ મળે તો જ સમય મર્યાદામાં ખાલી કરી શકાય તેમ છે.

us army

જ્હોન્સને કહ્યું કે સંસ્થાની વર્ચ્યુઅલ મીટિંગમાં દરેક વ્યક્તિ તાલિબાન સાથે વ્યવહાર કરવાની યોજના પર સંમત થયા. તેમણે કહ્યું કે, અમે ખાલી કરવા મુદ્દે સંયુક્ત અભિગમ બનાવવા માટે સંમત થયા છીએ એટલુ જ નહીં પરંતુ તાલિબાન સાથે કેવી રીતે જોડાવું તે અંગેના રોડમેપ પર પણ સંમત થયા છીએ. તેમણે કહ્યું કે, 31 ઓગસ્ટની સમયમર્યાદા બાદ તાલિબાન અફઘાન નાગરિકોને બહાર જવાની પરવાનગી આપવાની શરત સ્વીકારશે નહીં. મને લાગે છે કે કેટલાક લોકો આના ફાયદાને સમજશે, કારણ કે જી-7 સાથે જોડાણના આર્થિક, રાજદ્વારી અને રાજકીય લાભ છે. જ્હોન્સને વધુમાં કહ્યું કે, અમે નક્કી કર્યું છે કે અફઘાનિસ્તાન ફરી આતંકવાદનો દેશ નહીં બને, અફઘાનિસ્તાન ફરી નાર્કો દેશ નહીં બને. છોકરીઓને 18 વર્ષની ઉંમર સુધી શિક્ષણ આપવુ પડશે.

જો કે, તેમણે એ વાતનો જવાબ નહોતો આપ્યો કે, તાલિબાન સંકટને સંભાળવા અને અફઘાનિસ્તાનમાં અમેરિકી સૈનિકોની સમયમર્યાદા વધારવાનો ઇન્કાર કરવા મુદ્દે અન્ય જી-7 નેતાઓએ યુએસ પ્રમુખ જો બાઈડન સાથેની બેઠકમાં નારાજગી વ્યક્ત કરી હતી કે કેમ? યુએસ પ્રમુખ બાઈડને કહ્યું કે અમે 31 ઓગસ્ટ સુધીમાં અફઘાનિસ્તાન છોડવાની દિશામાં કામ કરી રહ્યા છીએ. પરંતુ આ ત્યારે જ શક્ય બનશે જો તાલિબાન સહકાર આપે અને જે લોકો એરપોર્ટ સુધી પહોંચવા માંગતા હોય તેમને રોકવામાં ન આવે અને અમારા ઓપરેશનમાં કોઈ અવરોધ ન આવે.
બાઈડને કહ્યું કે જી-7 નેતાઓ, ઇયુ, નાટો અને સંયુક્ત રાષ્ટ્ર તાલિબાન સામે અમારા વલણ સાથે છે. તેઓ શું કરે છે તે અમે જોઈશું અને તેના આધારે આગળનો નિર્ણય લઈશું. અમે તાલિબાનનું વર્તન જોયા બાદ જ ભવિષ્યની રણનીતિ પર કામ કરીશું.

તાલિબાને મંગળવારે ફરી એકવાર અમેરિકાને ચેતવણી આપી હતી. આ વખતે તાલિબાને અમેરિકાને અફઘાન નાગરિકોના ભદ્ર વર્ગને દેશ છોડવા માટે પ્રોત્સાહિત કરવા અંગે ચેતવણી આપી હતી. તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે કહ્યું કે વોશિંગ્ટને અફઘાન ધનિક અને વિદ્વાન વર્ગને દેશ છોડવા માટે પ્રોત્સાહન ન આપવુ જોઈએ.

તમને જણાવી દઈએ કે ઘણા અફઘાન નેતાઓ, હકાલપટ્ટી કરાયેલા સરકારી કર્મચારીઓ અને પત્રકારો તાલિબાનના નિશાન બનવાના ડરથી દેશ છોડી ગયા છે. મુજાહિદે એમ પણ કહ્યું કે તાલિબાન શાંતિપૂર્ણ રીતે પંજશીર ખીણમાં સમસ્યાનો ઉકેલ લાવવા માટે પ્રતિબદ્ધ છે. હિન્દુ કુશ પર્વતોની પંજશીર ખીણ તાલિબાનના નિયંત્રણ બહારનો એકમાત્ર વિસ્તાર છે. કાબુલથી 90 કિલોમીટર ઉત્તરમાં આ વિસ્તાર તાલિબાન ક્યારેય કબજે કરી શક્યો નથી. મુજાહિદે તાલિબાનની ડોર-ટુ-ડોર તપાસના અહેવાલોને પણ રદિયો આપ્યો અને કહ્યું કે અમે પહેલાથી જ તમામને સુરક્ષા આપી ચૂક્યા છીએ.

English summary
G7 countries will not vacate Kabul airport by August 31!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X