આફ્રીકી દેશ સેશેલ્સમાં ગાંધીજી-નેલ્સન મંડેલાની પ્રતિમા તોડાઇ, ભારતીય મિશને કરી નિંદા
પૂર્વ આફ્રિકામાં સ્થિત 115 ટાપુઓના રાષ્ટ્ર સેશેલ્સમાં મહાત્મા ગાંધી અને નેલ્સન મંડેલાની પ્રતિમાઓની તોડફોડ સામે ભારતે સખત વાંધો ઉઠાવ્યો છે અને ભારતીય મિશનએ પ્રતિમાઓની તોડફોડની સખત નિંદા કરી છે.
પૂર્વ આફ્રિકામાં સ્થિત 115 ટાપુઓના રાષ્ટ્ર સેશેલ્સમાં મહાત્મા ગાંધી અને નેલ્સન મંડેલાની પ્રતિમાઓની તોડફોડ સામે ભારતે સખત વાંધો ઉઠાવ્યો છે અને ભારતીય મિશનએ પ્રતિમાઓની તોડફોડની સખત નિંદા કરી છે.

અહેવાલો અનુસાર, સેશેલ્સની રાજધાની વિક્ટોરિયાના પીસ પાર્કમાં મહાત્મા ગાંધી અને નેલ્સન મંડેલાની પ્રતિમાઓની તોડફોડ કરવામાં આવી છે, જેની ભારતીય મિશન દ્વારા સખત નિંદા કરવામાં આવી છે. 6 જાન્યુઆરીના રોજ એક નિવેદનમાં, ભારતીય મિશનએ કહ્યું, "ભારતનું ઉચ્ચાયોગ વિક્ટોરિયાના પીસ પાર્કમાં મહાત્મા ગાંધી અને નેલ્સન મંડેલાની પ્રતિમાઓની તોડફોડની નિંદા કરે છે."
ભારતીય મિશન અનુસાર, મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ જૂન 2022માં રાજધાની વિક્ટોરિયાના પીસ પાર્કમાં કરવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધીની પ્રતિમા સેશેલ્સના સ્થાપક પ્રમુખ સર જેમ્સ મેચમ અને દક્ષિણ આફ્રિકાના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે સેવા આપનાર રંગભેદ વિરોધી ક્રાંતિકારી અને રાજકારણી નેલ્સન મંડેલાની બાજુમાં મૂકવામાં આવી હતી.
High Commission condemns the mindless act of vandalism of the statues of Mahatma Gandhi & Nelson Mandela located at the Peace Park in Victoria. High Commission thanks the Seychelles authorities for their action in the matter: High Commission of India in Victoria, Seychelles pic.twitter.com/7brsstmd2c
— ANI (@ANI) January 7, 2023
ભારતીય મિશનએ કહ્યું કે મહાત્મા ગાંધીનો માનવતા અને સંસ્થાનવાદ સામે શાંતિપૂર્ણ સંઘર્ષનો સંદેશ સાર્વત્રિક રીતે પ્રાસંગિક છે અને તેણે સમગ્ર વિશ્વમાં અહિંસક સંઘર્ષને પ્રેરણા આપી છે. ભારતીય મિશનના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "પીસ પાર્ક ખાતેની તેમની પ્રતિમા ભારત અને સેશેલ્સ વચ્ચેના ઐતિહાસિક અને સૌહાર્દપૂર્ણ સંબંધોનું પણ પ્રતીક છે." આ સાથે, ભારતીય હાઈ કમિશને સેશેલ્સના અધિકારીઓને તેમની કાર્યવાહી માટે આભાર માન્યો હતો અને આશા વ્યક્ત કરી હતી કે ગુનેગારો જલ્દીથી પકડાઈ જશે.
તમને જણાવી દઈએ કે આ પહેલા પણ વિશ્વના ઘણા ભાગોમાં બાપુની પ્રતિમાને તોડફોડની ઘટનાઓ સામે આવી છે. ગયા વર્ષે ઓગસ્ટમાં ન્યુયોર્ક શહેરમાં 6 લોકોએ મહાત્મા ગાંધીની પ્રતિમાની તોડફોડ કરી હતી. અગાઉ ફેબ્રુઆરી 2022માં મેનહટન નજીક યુનિયન સ્ક્વેર ખાતે ગાંધીજીની આજીવન પ્રતિમાની તોડફોડ કરવામાં આવી હતી. ભારતીય મિશન દ્વારા આ બંને ઘટનાઓની સખત નિંદા કરવામાં આવી હતી.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ: આગામી બે દિવસ બાદ પલટાશે હવામાન, આ જિલ્લાઓમાં વરસાદની આગાહી









Click it and Unblock the Notifications
