Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જાણો ભારત સાથે તાલિબાનની કટ્ટર વિચારધારાનો સીધો સંબંધ

વિશ્વ 20 વર્ષ પહેલા અફઘાનિસ્તાનમાં તાલિબાનની શક્તિનું સાક્ષી બન્યું હતું. તાલિબાન શાસનની એકમાત્ર વિચારધારા છે કે, તેવા મુસ્લિમો જેઓ તેની કટ્ટરવાદી વિચારધારા અપનાવવા તૈયાર નથી તેમના માટે પૃથ્વી પર કોઈ સ્થાન નથી.

નવી દિલ્હી : વિશ્વ 20 વર્ષ પહેલા અફઘાનિસ્તાનમાં તાલિબાનની શક્તિનું સાક્ષી બન્યું હતું. તાલિબાન શાસનની એકમાત્ર વિચારધારા છે કે, ધાર્મિક લઘુમતીઓ અને તેવા મુસ્લિમો જેઓ તેની કટ્ટરવાદી વિચારધારા અપનાવવા તૈયાર નથી તેમના માટે પૃથ્વી પર કોઈ સ્થાન નથી. તાલિબાન શાસન હેઠળ મહિલાઓ અને છોકરીઓના અધિકારો વિશે વાત કરવી ગુનો ગણાય છે. તાલિબાનોએ દોહા કરારમાં પોતાનું અન્ય સ્વરૂપ બતાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ માત્ર 10-11 દિવસમાં તેનો અસલી ચહેરો ખુલ્લો પડી રહ્યો છે. તમે માનશો કે, ઈસ્લામની આવી કટ્ટર વિચારસરણીનો જન્મ ભારત થયો છે? જે દેશને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે.

Taliban

દેવબંદી ઇસ્લામ તાલિબાનનો આધાર છે

દેવબંદી ઇસ્લામ તાલિબાનનો આધાર છે

દક્ષિણ એશિયામાં વંશીય-ધાર્મિક સંઘર્ષો પર કેટલાક સંશોધકો દ્વારા કરવામાં આવેલા સંશોધનના આધારે, સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસે તાલિબાનની ધાર્મિકઆસ્થાની ઉત્પત્તિ પર એક અહેવાલ પ્રકાશિત કર્યો છે. જે મુજબ તાલિબાનના મૂળ દેવબંદી ઇસ્લામની વિચારધારામાં છે, જેનો ઉદ્ભવ 19મી સદીમાં ભારતમાં થયો હતો.

ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામના બરાબર 10 વર્ષ બાદ દેવબંદી ઇસ્લામ વર્ષ 1867માં ભારતમાં ઉદય પામ્યો હતો. દેવબંદી વિચારધારાની સ્થાપના પાછળ બેમૌલવીઓ હોવાનું માનવામાં આવે છે. જેમાં મૌલાના મોહમ્મદ કાસિમ નાનોતવી અને મૌલાના રશીદ મોહમ્મદ ગંગોહીનો સમાવેશ થાય છે. તેમનો ધ્યેય મુસ્લિમયુવાનોને ઇસ્લામના ધમધમતા, કડક અને પ્રાચીન દૃષ્ટિકોણને અપનાવવા અને અનુસરવા માટે સમજાવવાનો હતો. એકંદરે તેમનો ઉદ્દેશ ઇસ્લામને પુનર્જીવિત કરવાનોહતો.

ઉત્તર પ્રદેશમાં પ્રથમ દેવબંદી મદરેસા ખોલવામાં આવી

ઉત્તર પ્રદેશમાં પ્રથમ દેવબંદી મદરેસા ખોલવામાં આવી

દેવબંદી વિચારધારા ઇસ્લામના રૂઢિચુસ્ત દૃષ્ટિકોણ પર ભાર મૂકે છે, જે મુજબ સુન્ની મુસ્લિમ કાયદો અથવા શરિયા દ્વારા જ પાપોથી મુક્તિ મેળવવાનો એકમાત્ર રસ્તોછે.

આ અંતર્ગત ઇસ્લામની તે પ્રથાઓના પુનરુત્થાન પર ભાર મૂકવામાં આવ્યો છે, જે પયગંબર સાહેબના સમય દરમિયાન સાતમી સદીમાં હતા. તે વૈશ્વિક જેહાદનાખ્યાલ પર આધારિત છે, જેના દ્વારા વિશ્વભરના મુસ્લિમોનું રક્ષણ કરવા અને બિન-મુસ્લિમ વિચારોનો પ્રતિકાર કરવાની પવિત્ર ફરજ માનવામાં આવે છે. મુસ્લિમયુવાનોને દેવબંદી પરંપરા હેઠળ શિક્ષિત કરવા માટે 19મી સદીના અંતમાં હાલના ઉત્તર પ્રદેશ (દેવબંદ)માં પ્રથમ મદરેસા ખોલવામાં આવી હતી.

દેવબંદી ઇસ્લામ પશ્તુન્સમાં લોકપ્રિય બન્યો

દેવબંદી ઇસ્લામ પશ્તુન્સમાં લોકપ્રિય બન્યો

જે પછીના કેટલાક દાયકાઓમાં ભારતીય ઉપખંડના ઘણા ભાગોમાં દેવબંદી મદરેસાઓ ખુલી છે. મુસ્લિમ યુવાનોને તાલીમ આપવામાં આવી હતી. આ અંતર્ગતઅફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદની બંને બાજુએ રહેતા પશ્તુન (પઠાણ)માં પણ ઇસ્લામની આ વિચારધારા ખૂબ જ લોકપ્રિય બની હતી.

પશ્તુન નેતાઓએ ભારત અનેઅફઘાનિસ્તાનને અલગ પાડતા પશ્તુન પટ્ટા, ડ્યુરાન્ડ લાઇનમાં દેવબંદી અભ્યાસક્રમો અને પરંપરાની સ્થાપના અને ફેલાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

વર્ષ 1947 બાદ પાકિસ્તાનમાં મોટા પાયે મદરેસાઓ ખોલવામાં આવ્યા

વર્ષ 1947 બાદ પાકિસ્તાનમાં મોટા પાયે મદરેસાઓ ખોલવામાં આવ્યા

વર્ષ 1947માં જ્યારે ભારતનું વિભાજન થયું ત્યારે ઘણા અગ્રણી દેવબંદીઓ પાકિસ્તાનમાં સ્થળાંતર કરી ગયા અને ત્યાં વિશાળ મદરેસાઓ સ્થાપી હતી. ભાગલા બાદરૂઢિચુસ્ત મુસ્લિમ પરંપરા હેઠળ વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં તેમને વધુ મદદ મળી.

પાકિસ્તાની દેવબંદી મદરેસાઓમાં જમ્મુ -કાશ્મીરને લઈને પાકિસ્તાનીરાજકારણને હવા આપવાનું કામ પણ શરૂ થયું હતું. એક અંદાજ મુજબ વર્ષ 1967 સુધીમાં વિશ્વભરમાં 8,000 દેવબંદી મદરેસાઓ ખુલી ગયા હતા, જેમાંથી હજારોદેવબંદી સ્નાતકો માત્ર ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને મલેશિયામાં જ ઉત્પન્ન થયા હતા. શરૂઆતમાં આ મદરેસાઓમાં ભંડોળની અછત હતી પરંતુ,વર્ષ 1979માં સોવિયત યુનિયન અફઘાનિસ્તાનમાં પ્રવેશ્યું કે, તરત જ દેવબંદી મદરેસાઓનો ઉદ્ધાર થયો હતો.

પાકિસ્તાને અમેરિકી નાણાથી સક્રિય મદદ કરી

પાકિસ્તાને અમેરિકી નાણાથી સક્રિય મદદ કરી

આજે મોટી સંખ્યામાં અફઘાન લડવૈયાઓ દેવબંદી મદરેસાઓમાંથી ઉભરી આવ્યા છે, ખાસ કરીને પશ્તુન જેઓ આ આતંકવાદી ચળવળનું નેતૃત્વ કરી રહ્યા છે. થોમસહેગહામરે લખ્યું છે કે, તેમને પાકિસ્તાનને આપેલા અમેરિકી ડોલર અને સાઉદી અરેબિયા તરફથી પણ આગળ વધવામાં મદદ મળી છે.જો કે, આ સમયે દેવબંદીમદરેસાઓ તેમના મૂળ ધાર્મિક મૂળથી ઘણા દૂર ગયા છે.

અગાઉ વર્ષ 1979માં જ્યારે સોવિયત યુનિયન અફઘાનિસ્તાનમાં પ્રવેશ્યું હતું, ત્યારે લાખો અફઘાનશરણાર્થીઓ પાકિસ્તાન, ખાસ કરીને પશ્તુન વિસ્તારમાં સ્થળાંતરિત થયા હતા. પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં પોતાનો હસ્તક્ષેપ ઇચ્છતું હતું, તેથી તેણે સોવિયેટ્સ સામેશરણાર્થી શિબિરોના યુવાનોમાં ધાર્મિક ઝેર ફેલાવવાનું શરૂ કર્યું. આ દરમિયાન અમેરિકાની મદદ પાકિસ્તાન સુધી પહોંચતી રહી. આમાંના મોટાભાગના લડવૈયાઓપાછળથી તાલિબાનના સભ્ય બન્યા હતા.

તાલિબાનના સ્થાપક મુલ્લા ઉમર પણ દેવબંદી મદરેસાના વિદ્યાર્થી હતા

તાલિબાનના સ્થાપક મુલ્લા ઉમર પણ દેવબંદી મદરેસાના વિદ્યાર્થી હતા

આજની તારીખમાં ઘણા તાલિબાન નેતાઓ અને આતંકવાદીઓને દેવબંદી શૈક્ષણિક સંસ્થાઓમાંથી તાલીમ આપવામાં આવી છે. તાલિબાનના સ્થાપક મુલ્લા ઉમરનોજન્મ પણ દેવબંદી શાળામાં થયો હતો અને અફઘાનિસ્તાન અને પાકિસ્તાન બંનેમાં શિક્ષણ મેળવ્યું હતું.

વર્ષ 1989માં જ્યારે સોવિયત સંઘને અફઘાનિસ્તાન છોડવું પડ્યુંત્યારે અફઘાન લડવૈયાઓને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI તરફથી સપોર્ટ અને ભંડોળ મળતું રહ્યું હતું.

લેરી પી ગુડસને લખ્યું છે કે, જ્યારે તાલિબાને વર્ષ1996માં અફઘાનિસ્તાન પર કબ્જો કર્યો ત્યારે પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓનો તેમાં મોટો હાથ હતો. સત્તામાં આવતાની સાથે જ તેણે ઇસ્લામનું એક અલગ સ્વરૂપબતાવવાનું શરૂ કર્યું હતું, જે વસાહતી ભારતમાં તેના મૂળથી દૂર હતું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X