UNમાં ભારતે આંતકના મુદ્દે ખોલી પાકિસ્તાનની પોલ
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે કહ્યું કે, પાકિસ્તાને જ ભારત વિરુદ્ધ આંતકી સમૂહો તૈયાર કર્યા છે. તે હવે રાક્ષસ બનીને પોતાના જ જન્મદાતાને ખાઇ રહ્યું છે.
ભારતે ફરી એકવાર આતંકવાદ ના મુદ્દે પાકિસ્તાન ને ઘેર્યું છે. જીનિવા સ્થિત સંયુક્ત રાષ્ટ્ર માં માનવાધિકાર પરિષદના 34મા સત્ર દરમિયાન ભારતે કહ્યું કે, પાકિસ્તાને જ ભારત વિરુદ્ધ આંતકી સમૂહો તૈયાર કર્યા છે. તે હવે રાક્ષસ બનીને પોતાના જ જન્મદાતાને ખાઇ રહ્યું છે. ભારતે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં ઘણા વિસ્તારોમાં ભારત માટે હેરાનગતિ ઊભી કરવા માટે જવાબદાર છે, સીમા પારથી આવતા આતંકવાદીઓ. જેને પરોક્ષ રીતે પાકિસ્તાન સહાય કરે છે.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત અજીત કુમારે માનવાધિકાર પરિષદના 34મા સત્રને સંબોધિત કરતાં કહ્યું કે, પાકિસ્તાન દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને જે પ્રસ્તાવો આપવામાં આવ્યા છે, તે તમામ ભ્રામક અને અનુચિત સંદર્ભોવાળા છે. પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં દબાણપૂર્વક અને ગેરકાયદેસર કબજો કર્યો છે, જે તેમણે ચોક્કસપણે ખાલી કરવા જોઇએ. ભારતે પાકિસ્તાન પર જમ્મુ-કાશ્મીરમાં હિંસા અને અશાંતિ ફેલાવવા માટે, સીમા પારથી આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે તથા આ રાજ્યને અસ્થિર કરવા માટે આકરા પ્રહારો કર્યા હતા.
ભારતીય રાજદૂત અજીત કુમારે આગળ કહ્યું કે, આતંકવાદ એ માનવાધિકારનો ઘોર દુરૂપયોગ છે, તમામ સભ્યો એક દેશની આ મોટી વિડંબણા સમજી શકે છે, જેણે માનવાધિકારોની આડમાં રહી આતંકવાદનું વૈશ્વિક કેન્દ્ર હોવાની પ્રતિષ્ઠા મેળવી છે. ઉલ્લેખનીય છે કે, ઉરી અને પઠાનકોટના આતંકી હુમલાઓ બાદથી ભારત અને પાકિસ્તાનના સંબંધો વધુ તંગ બન્યા છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં ભારતીય સેનાએ પીઓકે માં ઘુસીને સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. જેમાં અનેક આંતકી સંગઠનો નાશ પામ્યા. તો સામે ગત વર્ષે સીમા પાર સિઝફાયરનું ઉલ્લંઘન કરવાના 151 કિસ્સા સામે આવ્યા હતા.
-
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે










Click it and Unblock the Notifications
