For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અયોધ્યા: સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ટીપ્પણી કરવા બદલ UNમાં પાકિસ્તાન પર ભારતે કર્યા આકરા પ્રહાર

અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય અંગે ટિપ્પણી કરવા બદલ ભારતે ગુરૂવારે પાકિસ્તાનને ફટકાર્યું છે. યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ (UNHRC)માં પાકિસ્તાન પર ભારતે આકરા પ્રહારો કર્યા છે.

|
Google Oneindia Gujarati News

અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય અંગે ટિપ્પણી કરવા બદલ ભારતે ગુરૂવારે પાકિસ્તાનને ફટકાર્યું છે. યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ (UNHRC)માં પાકિસ્તાન પર ભારતે આકરા પ્રહારો કર્યા છે. 15 દિવસની અંદર આ બીજી વખત છે જ્યારે ભારત દ્વારા અયોધ્યા અંગે લેવામાં આવેલા નિર્ણય અંગે પાકિસ્તાનને અરીસો બતાવવાની કોશિશ કરવામાં આવી છે.

પાકિસ્તાન પાસેથી માનવાધિકાર શીખવાની જરૂર નથી

પાકિસ્તાન પાસેથી માનવાધિકાર શીખવાની જરૂર નથી

UNHRCના 12માં સત્ર દરમિયાન લઘુમતીઓ સાથે સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરતા રાજદ્વારી સલાહ-સૂચનોનો અધિકારી આર્યને ભારત વતી પાકિસ્તાનની જવાબ આપ્યો હતો. ચર્ચાએ મંચ પરથી વિશ્વને કહ્યું હતું કે કેવી રીતે પાકિસ્તાનમાં લઘુમતીઓને ધાર્મિક અને મૌન ત્રાસ સહન કરવાની ફરજ પડે છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાનમાં લઘુમતીઓને ઈશનિંદાના નામે માનવાધિકારના મૂળભૂત અધિકારો છીનવી લેવામાં આવે છે. તેમણે કહ્યું, 'ભારત એક મજબૂત લોકશાહી દેશ છે જ્યાં સ્વતંત્રતા અને અસરકારક બંધારણીય પ્રણાલી નાગરિકોના ધાર્મિક અને બહુભાષીય લઘુમતીઓના હિતની રક્ષા કરે છે. અમારા ન્યાયિક નિર્ણયોમાં અમે પાકિસ્તાનની ટિપ્પણીને ભારપૂર્વક નકારી કાઢીએ છીએ.

ઇમરાન ખાને પોતાના નાગરિકો પર ધ્યાન આપવું જોઈએ

ઇમરાન ખાને પોતાના નાગરિકો પર ધ્યાન આપવું જોઈએ

પાકિસ્તાનમાં લઘુમતીઓને કેવી રીતે અત્યાચાર સહન કરવો પડે છે તે દરેક જાણે છે. આર્યને કહ્યું કે વિશ્વને એવા દેશમાંથી માનવ અધિકાર વિશે શીખવાની જરૂર નથી કે જ્યાં તેના પોતાના નાગરિકો સાચા લોકશાહીથી દૂર હોય. આર્યને સ્પષ્ટ કર્યું હતું કે પાકિસ્તાન તેના પ્રચાર માટે ઘણા જુઠ્ઠાણા બોલે છે અને તેમના નિવેદન દ્વારા આ નિવેદન સ્પષ્ટ કરવામાં આવ્યું છે. ભારતે પણ પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારને અપીલ કરી છે કે તે તેના દેશના લોકોની સુખાકારી માટે કામ કરે, કોઈ દેશ અને બીજા દેશો વિરૂદ્ધ પ્રોપોગેન્ડા ફેલાવે નહી. આ સાથે ભારતે આ મુદ્દે પાકિસ્તાન તરફથી અપાયેલા નિવેદનને અનિયંત્રિત ગણાવ્યું છે અને કહ્યું છે કે આ મુદ્દો સંપૂર્ણપણે આંતરીક મામલો છે. આમાં કોઈએ દખલ કરવાની જરૂર નથી.

સુપ્રીમ કોર્ટે આપ્યો હતો આ નિર્ણય

સુપ્રીમ કોર્ટે આપ્યો હતો આ નિર્ણય

દેશના સૌથી ચર્ચિત મામલામાંનો એક અયોધ્યા ભૂમિ વિવાદ પર સુપ્રીમ કોર્ટનો ફેસલો આવ્યા બાદ રામ મંદિર નિર્માણનો રસ્તો સાફ થઈ ગયો છે. સુપ્રીમ કોર્ટે શિયા વક્ફ બોર્ડ અને નિર્મોહી અખાડાના દાવાને ફગાવતા વિવાદિત જમીનના માલિકાના હક રામલલા વિરાજમાનને આપવાનો ફેસલો સંભલાવ્યો. આ ઉપરાંત કોર્ટે મુસ્લિમ પક્ષને મસ્જિદ માટે અયોધ્યામાં 5 એકર જમીન આપવાનો ફેસલો સંભળાવ્યો હતો.

English summary
india slams pakistan for commenting on ayodhya verdict at UNHRC
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X