શ્રીલંકાઇ હદમાં આવશે તો ભારતી માછીમારોને ગોળી મારી દઇશું: શ્રીલંકાઇ PM
નવી દિલ્હી, 7 માર્ચ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 13 માર્ચના રોજ શ્રીલંકાના પ્રવાસે જવાના છે અને અત્રે તેઓ શ્રીલંકાની સંસદને સંબોધિત પણ કરવાના છે. જોકે એ પહેલા ભારતીય વિદેશ મંત્રી સુષમા સ્વરાજ કોલંબો પહોંચી ચૂક્યા છે. તેઓ બંને દેશોની વચ્ચે ઉચ્ચસ્તરીય દ્વિપક્ષીય વાર્તાના ત્રીજા દૌરમાં સામેલ થશે અને નરેન્દ્ર મોદીના પ્રવાસ માટે પૃષ્ઠભૂમિ તૈયાર કરશે. આ તમામની વચ્ચે શ્રીલંકાના વડાપ્રધાન રનિલ વિક્રમસિંઘે જણાવ્યું છે કે ભારતીય માછીમારો જો શ્રીલંકાની હદમાં આવી જાય અને તેમની પર ગોળીબાર કરવામાં આવે તો તે માનવાધિકારોનું ઉલ્લંઘન નથી.
પરંતુ આ બંદોબસ્ત અમારા ઉત્તરી માછીમારોની આજીવિકાની કિંમત પર નહીં થાય. કાયદાનો ભંગ સાંખી લેવામાં નહીં આવે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા સૈયદ અકબરુદ્દીને જણાવ્યું કે ભારત અને શ્રીલંકા આ ભાવનાત્મક મુદ્દાને માનવીય મુદ્દા તરીકે લઇ રહી રહ્યા છે. આ એવો મુદ્દો નથી કે જેનો તાત્કાલિક ઉપાય થઇ શકે પરંતુ અમે મિત્ર અને નૌવહન પડોસી તરીકે આ મુદ્દે કામ કરી રહી રહ્યા છીએ. વિદેશ મંત્રી સુષમા સ્વરાજની અત્રે શ્રીલંકાના નેતૃત્વની સાથે વાતચીત પહેલા તેમણે જણાવ્યું કે અમને શાંતિપૂર્ણ અને મિત્રતાપૂર્વક તેના સમાધાનની આશા છે.