કોરોનાના નવા વેરિઅંટના જોખમને જોતા જાપાને વિદેશી યાત્રીઓના આગમન પર લગાવી રોક
જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદાએ વિદેશી નાગરિકોના આગમન પર રોક લગાવવાનુ એલાન કર્યુ છે.
ટોક્યોઃ કોરોના વાયરસના નવા વેરિઅંટ ઓમિક્રૉનના જોખમને જોતા જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદાએ વિદેશી નાગરિકોના આગમન પર રોક લગાવવાનુ એલાન કર્યુ છે. જાપાને હાલમાં જ કોવિડ પ્રતિબંધોમાં થોડી ઢિલાશ આપીને વિદેશી આગમન શરુ કર્યુ હતુ પરંતુ નવા વેરિઅંટના આવ્યા બાદ ફરીથી તેના પર રોક લગાવી દીધી છે. ફુમિયો કિશિદાએ મીડિયા સાથે વાત કરીને કહ્યુ છે, 'અમે 30 નવેમ્બરથી દુનિયાભરના દેશોની આંતરરાષ્ટ્રીય ફ્લાઈટના આગમન પર રોક લગાવી રહ્યા છે.' તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રીનો આ આદેશ મંગળવાથી લાગુ થઈ જશે.

જાપાને હાલમાં જ 9 દેશો પરથી હટાવ્યો પ્રતિબંધ
તમને જણાવી દઈએ કે નવેમ્બરની શરૂઆતમાં જાપાનની સરકારે જાહેરાત કરી હતી કે તે વેપારી મુસાફરો, વિદેશી છાત્રો અને કામકાજી લોકો માટે પોતાના દેશની સીમાએ ખોલી રહ્યા છે. જો કે પર્યટકો માટે જાપાનની સીમા ફરીથી બંધ હતી. જાપાનની સરકારે દક્ષિણ આફ્રિકા સહિત 9 દેશો પર લાગેલા આ પ્રતિબંધોમાં ઢીલ આપી હતી. આ દેશોમાં દક્ષિણ આફ્રિકા અને પડોશી નામીમ્બિયા, લેસોથો, ઈસ્વાતિની, ઝિમ્બામ્બવે, બોત્સવાના, જામ્બિયા, મલાવી અને માઝોમ્બિકનુ નામ શામેલ હતુ. આ દેશોના યાત્રીઓને જાપાનમાં આવ્યા બાદ 10 દિવસ માટે ક્વૉરંટાઈન પણ રહેવાનુ હતુ.
જાપાને કડક પ્રતિબંધોથી જ કોરોના પર રાખ્યો છે કંટ્રોલ
પ્રધાનમંત્રી ફુમિયા કિશિદાએ સોમવારે આગળ કહ્યુ કે અધિક 14 દેશોથી આવતા મુસાફરોને ક્વૉરંટાઈનમાં રહેવુ પડશે. તમને જણાવી દઈએ કે જ્યારે દુનિયામાં કોરોનાનો કહેર સૌથી વધુ જોવા મળી રહ્યો હતો એ વખતે જાપાને કડક પ્રતિબંધોના આધારે જ સ્થિતિને ઘણા હદ સુધી કંટ્રોલમાં રાખી હતી. મહામારીના સમયે જાપાનમાં કોરોનાથી 18300 મોત થયા હદતા. કોરોના વેક્સીનેશન મામલે જાપાને ગતિ પકડી અને હવે જાપાનની લગભગ 76.5 ટકા વસ્તી સંપૂર્ણપણે વેક્સીનેટ થઈ ચૂકી છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
