જાણો શું છે કયામતની તિજોરી? ક્યાં આવેલી છે અને કેમ બનાવાઈ?
કહેવાય છે કે કયામત આવે ત્યારે દુનિયામાં રહેલી તમામ વસ્તુઓનો વિનાશ થાય છે. આ વિનાસને કોઈ ટાળી નથી શકતુ. જો કે ટાળી ન શકાય પરંતુ વસ્તુઓને બચાલી શકાય છે. આના માટે જ કયામતની તિજોરી બનાવાઈ છે.
તમે જાણો છો તેમ તિજોરીનું કામ કોઈપણ વસ્તુને સાચવવાનું હોય છે. હવે કયામતથી દુનિયામાં રહેલી નાયાબ વસ્તુઓની રક્ષા કરવા માટે એક કયામતની તિજોરી બનાવવામાં આવી છે. અહેવાલો અનુસાર, આ તિજોરીનું તાળું ત્યારે જ ખુલશે જ્યારે દુનિયામાં વિનાશની તૈયારી હશે. 100 દેશો મળીને બનાવવામાં આવેલી આ તિજોરી બરફમાં દફન છે.

છેલ્લે આવેલા વિનાસક પ્રલયમાં 65 મિલિયન વર્ષો પહેલા પૃથ્વી પરથી ડાયનાસોર સહિતની પ્રજાતિઓના નામ નિશાન ભૂંસાઈ ગયા હતા. વૈજ્ઞાનિકો અનુસાર, હવે પછીનો પ્રલય પણ ટૂંક સમયમાં આવશે.
પ્રલય વિનાશ લઈને આવે છે અને દુનિયામાં તમામ વસ્તુઓનો નાસ કરી દે છે. આનાથી સતત મનુષ્ય સહિત, છોડ, બેક્ટેરિયા, સરિસૃપ, પક્ષીઓ અને માછલીઓ વગેરે લુપ્ત થવાનું જોખમ છે. વૈજ્ઞાનિકો અનુસાર હવે પછીનો પ્રલય ક્લાઈમેંટ ચેંન્જના કારણે આવશે. હવે આ તિજોરીમાં આ પ્રલયમાં બચેલા લોકો માટે વસ્તુઓ સગ્રહાઈ રહી છે.
ડૂમ્સ ડે વૉલ્ટના નામે જાણીતી આ તિજોરી આર્કટિક સમુદ્ર નજીક નોર્વેના સ્પિટ્સબર્ગન ટાપુ પર આવેલી છે. તેને ગ્લોબલ સીડ વૉલ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને અહીં એટલે બનાવાઈ છે કારણે તે ઉત્તર ધ્રુવની નજીક છે. આ જગ્યા હંમેશા ખૂબ જ ઠંડી રહે છે અને અનાજના બીજ કાયમ માટે સુરક્ષિત રહી શકે છે. તેને અહીં બનાવવાનું બીજું કારણ એ છે કે કોઈ યુદ્ધને કારણે તેને નુકસાન નહીં થાય.
આ કયામતની તિજોરી ફેબ્રુઆરી 2008માં બનાવવામાં આવી હતી. હાલ 100 દેશો આમાં જોડાયા છે. કોઈપણ દેશ નિર્ધારિત કરાર પર હસ્તાક્ષર કરીને જોડાઈ શકે છે. નિયમો અનુસાર, એક વખત બિયારણ જમા થઈ જાય પછી કોઈ દેશ તેને પાછું માંગી શકે નહીં.
બીજ લેવાના કેટલાક નિયમો છે. જેનું પાલન કરવાનું હોય છે. મોટાભાગના પાકોના બીજ અહીં સાચવવામાં આવ્યા છે. તેમાં 69% અનાજ, 9% કઠોળ અને ફળો અને શાકભાજીના બીજ છે. તેમાં ઘણી દવાઓના બીજ પણ સાચવવામાં આવ્યા છે. તબીબી દૃષ્ટિકોણથી અફીણ જેવી દવાઓના બીજ પણ અહીં સાચવવામાં આવ્યા છે.
આ કયામતની તિજોરી નોર્વેના ટાપુમાં એક પહાડ નીચે લગભગ 400 ફૂટની ઊંડાઈ પર બનાવવામાં આવી છે. તિજોરી સુધી પહોંચવા કોંક્રીટની ટનલમાંથી પસાર થવું પડે છે. જે પછી એક ખૂબ જ મજબૂત ચેમ્બર આવે છે. ચેમ્બરમાં 3 સેફ છે. જેમાં દરેકમાં કરોડોનાં બીજ રાખી શકાય છે. હાલમાં આ તિજોરીઓમાંથી માત્ર એક જ કામમાં લેવાી રહી છે.
-
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર












Click it and Unblock the Notifications
