શપથ ગ્રહણ માટે પીએમ મોદીએ પડોશી દેશોના નેતાઓને કર્યા આમંત્રિત, શું શહબાઝને પણ મોકલશે આમંત્રણ?
Narendra Modi Swearing-In Ceremony: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળ, બાંગ્લાદેશ અને મોરેશિયસના વડા પ્રધાનો, શ્રીલંકાના રાષ્ટ્રપતિ અને ભૂટાનના રાજાને આ સપ્તાહના અંતમાં તેમના શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રણ આપ્યું છે.
CNN-News18 એ આ ઘટનાક્રમથી પરિચિત લોકોને ટાંકીને અહેવાલની પુષ્ટિ કરી છે. જો કે, અહેવાલો મુજબ પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફને આમંત્રણ આપવામાં આવ્યું નથી. રિપોર્ટ અનુસાર, પીએમ મોદીએ તે દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને આમંત્રણ આપ્યું છે, જે ભારતના પડોશી અને સહયોગી છે.

વડા પ્રધાન મોદીએ બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના, નેપાળના વડા પ્રધાન પુષ્પ કમલ દહલ અને મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથને શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રણ આપ્યું છે. આ સિવાય શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે અને ભૂટાનના રાજા ડ્રુક ગ્યાલ્પો જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુકને આમંત્રણ આપવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે આ ત્રીજી વખત છે જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે અને દરેક વખતે તેમના શપથ ગ્રહણ સમારોહમાં ભારતની વિદેશ નીતિની ઝલક જોવા મળે છે. જ્યારે નરેન્દ્ર મોદીએ પહેલીવાર વડાપ્રધાન તરીકે શપથ લીધા ત્યારે તેમણે દક્ષિણ એશિયન એસોસિયેશન ફોર રિજનલ કોઓપરેશન (SAARC)ના નેતાઓને આમંત્રણ આપ્યું હતું, જેમાં પાકિસ્તાન પણ સામેલ છે. તે સમયે પાકિસ્તાનના તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફ નવી દિલ્હી આવ્યા હતા અને નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લીધો હતો.
વળી, જ્યારે તેમણે બીજી વખત વડા પ્રધાન તરીકે શપથ લીધા ત્યારે બિમસ્ટેક દેશોના નેતાઓને કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. રિપોર્ટ અનુસાર, નરેન્દ્ર મોદી 8 જૂને રાત્રે 8 વાગ્યે વડાપ્રધાન પદના શપથ લેશે અને તેમણે ખુદ વિદેશી મહેમાનોને ટેલિફોન દ્વારા આમંત્રણ આપ્યું છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ કાર્યાલયે પુષ્ટિ કરી છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિને શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવા માટે ટેલિફોન કર્યો હતો અને શ્રીલંકાના રાષ્ટ્રપતિએ આમંત્રણ સ્વીકાર્યું છે.
આ ઉપરાંત નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશના વડા પ્રધાન બેગમ ખાલિદા ઝિયા સાથે પણ ટેલિફોન પર વાત કરી હતી અને બંને નેતાઓએ 'વિકસિત ભારત 2047' અને 'સ્માર્ટ બાંગ્લાદેશ 2041'ના વિઝનને પરિપૂર્ણ કરવા માટે સાથે મળીને કામ કરવાના તેમના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો હતો. તમને જણાવી દઈએ કે જ્યારે એનડીએ ચૂંટણી જીતી ત્યારે નરેન્દ્ર મોદીને અભિનંદન આપનારા અગ્રણી નેતાઓમાં શેખ હસીના પણ સામેલ હતા. શેખ હસીનાએ દિલ્હી આવવા અને શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવાનું આમંત્રણ પણ સ્વીકાર્યું છે.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન








Click it and Unblock the Notifications
