નેલ્સન મંડેલાના પુત્રોના શબ કબરમાંથી બહાર કાઢી દેવાયા

આ દરમિયાન પોલીસે અદાલતના આદેશ બાદ મંડલા મંડેલાના ફાર્મ હાઉસમાંથી નેલ્સન મંડેલાના બાળકોના શબ કબરમાંથી ખોદીને બહાર કાઢી દીધા છે. આદેશ અનુસાર હવે આ શબોના અવશેષોને ફાર્મ હાઉસમાંથી કાઢીને પાસે આવેલા કબ્રસ્તાનમાં દફનાવવામાં આવશે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર ગુરુવારે આ શબોની ફોરેન્સિક તપાસ કરવામાં આવશે. આ વિવાદમાં નેલ્સન મંડેલાના પૌત્ર મંડલા મંડેલા પર આરોપ છે કે તેણે પરિવારની મંજૂરી વિના જ પેલા શબોને તેમની કબરોમાંથી કાઢીને અન્યત્ર ખસેડી દીધા હતા.
પોલીસ પ્રવક્તા જુકિસી ફટયેલાએ જણાવ્યું કે મંડલા વિરુદ્ધ કબર સાથે ગેરકાયદેસર રીતે છેડછાડ કરવામાં આવી હોવાના આરોપોની તપાસ કરવામાં આવી રહી છે. ત્યાર બાદ ફરિયાદી પક્ષ નક્કી કરશે તે તેમની સામે આરોપો ઘડવા કે નહીં.
મંડલા મંડેલા પર આરોપ છે કે તેણે બે વર્ષ પહેલા નેલ્સન મંડેલાના ત્રણ સંતાનોના શબને પારિવારિક કબ્રસ્તાનથી સ્થાનાંતરિત કરી દીધા હતા. બીજી તરફ એક અન્ય ઘટનાક્રમમાં મંડેલા પરિવારના 16 સભ્યો આ શબોને કુનુ ગામના કબ્રસ્તાનમાં પાછા લાવવાની માંગણી કરી રહ્યા છે.
નેલ્સન મંડેલાએ પણ પોતાના મૃત્યુ બાદ તેમને ત્યાં જ દફનાવવામાં આવે તેવી ઇચ્છા વ્યક્ત કરી છે. નેલ્સન મંડેલા હાલ ફેફસાની બિમારીને કારણે પ્રિટોરિયા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
