UNGA: ભારતનો પલટવાર, કહ્યું- નવા પાકિસ્તાનને સાંભળવા આવ્યા હતા પણ કંઈ ન મળ્યું
UNGA: ભારતનો પલટવાર, કહ્યું- નવા પાકિસ્તાનને સાંભળવા આવ્યા હતા પણ કંઈ ન મળ્યું
ન્યૂયોર્કઃ પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરૈશી દ્વારા સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કરવામાં આવેલ સંબોધન દરમિયાન લગાવવામાં આવેલ આરોપોનો ભારતે ઝડબાતોડ જવાબ આપ્યો છે. રાઈટ ટૂ રિપ્લાઈના અધિકારનો ઉપયોગ કરતા સંયુક્ત રાષ્ટ્ર મિશનમાં ભારતના દૂત એનમ ગંભીરે મહાસભા સમક્ષ પાકિસ્તાનની સાચી તસવીર રજૂ કરતા પાકિસ્તાને લગાવેલ તમામ આરોપો નકારી દીધા છે. એનમ ગંભીરે કહ્યું કે પાકિસ્તાન ભલે રટતું રહે કે તેમણે આતંકવાદ પર કાબુ મેળવી લીધો છે, પરંતુ હકિકત તો એ છે કે આજે પણ પાકિસ્તાનમાં ખુલ્લેઆમ આતંકવાદીઓ ફરી રહ્યા છે અને આતંકવાદીઓ ત્યાં ચૂંટણી પણ લડી રહ્યા છે.
|
જમ્મુ-કાશ્મીર ભારતનો ભાગ છે અને હંમેશા રહેશે
ગંભીરે સખ્તાઈથી કહ્યું કે અમને આજે પણ જૂનું પાકિસ્તાન જ સાંભળવા મળી રહ્યું છે, નવા પાકિસ્તાનનું નામ સાંભળીને લાગ્યું હતું કે લગભગ કંઈક નવી વસ્તુઓ સાંભળવા મળશે પરંતુ આજે પણ પાકિસ્તાન એજ વાતો કરી રહ્યું છે જે પહેલેથી કરતું આવ્યું છે. પાકિસ્તાનની નવી સરકારને અમે સ્પષ્ટ કહેવા માંગીએ છીએ કે જમ્મુ-કાશ્મીર ભારતનો ભાગ હતો, છે અને હંમેશા રહેશે.
|
પાકિસ્તાન વિદેશ મંત્રાલય ખોટું બોલી રહ્યું છે
ગંભીરે કહ્યું કે પાકિસ્તાન દ્વારા એમ કહીને નિરાધાર આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે નવી દિલ્હી ઈસ્લામાબાદમાં આતંકી ગતિવિધિઓને પ્રોત્સાહન આપી રહ્યું છે. કુરૈશીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે 2014માં પેશાવર સ્કૂલ પર થયેલ આતંકવાદી હુમલામાં ભારતનો પણ કથિત રીતે હાથ હતો. પેશાવરની સ્કૂલમાં આતંકી હુમલાની ભારતે નિંદા કરી હતી. ભારતીય સંસદના બંને સદનમાં આ વાતનું દુઃખ જતાવી મૌન રાખવામાં આવ્યું હતું. પાકિસ્તાની વિદેશ મંત્રાલય પેશાવર હુમલામાં મરેલ બાળકોનું અપમાન કરી રહ્યું છે.
|
પાકિસ્તાનમાં હાફિઝ સઈદ ખુલ્લેઆમ ફરી રહ્યો છે
ગંભીરે કહ્યું કે પાકિસ્તાન આ સચ્ચાઈને નકારી શકે છે કે તે પોતાને ત્યાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આતંકી યાદીમાં સામેલ 132 આતંકવાદીઓ અને 22 આતંકી સંગઠનોને પોતાને ત્યાં સાચવી રહ્યા છે? શું પાકિસ્તાન આ વાતનો ઈનકાર કરશે કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા નામિત આતંકવાદી હાફિઝ સઈદ પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરી રહ્યો છે, નફરત ફેલાવે છે અને ચૂંટણીમાં ઉમેદવાર પણ ઉભા કરે છે?
|
માનવાધિકાર પર પાકિસ્તાનની પોલંપોલ
એનમ ગંભીરે વધુ કહ્યું કે અમે એ પણ જોયું કે, નવું પાકિસ્તાન માનવાધિકાર વિશે વાત કરે છે પરંતુ આ વાતો પણ ખોખલી જ હોય છે. પ્રિંસટનના અર્થશાસ્ત્રી આતિફ મિયાંના ઉદાહરણથી આ વાતને સમજી શકાય છે. એમને ઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલથી માત્ર એટલા માટે હટાવવામાં આવ્યો છે કેમ કે તે લઘુમતીથી સંબંધ ધરાવે છે.
આ પણ વાંચો- 3 મહિનાની દીકરી સાથે ન્યૂઝીલેન્ડ પીએમ પહોંચ્યા યુએન, રચ્યો ઈતિહાસ
-
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
