46માં દિવસે યુક્રેને બાજી પલટી, પુતિન કમાન્ડર બદલવા મજબુર થયા!
યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ રવિવારે તેના 46માં દિવસમાં પ્રવેશ્યું અને રશિયા અત્યાર સુધી યુદ્ધને પોતાની તરફેણમાં ફેરવવામાં નિષ્ફળ રહ્યું છે. તબાહી મચાવ્યા બાદ પણ રશિયન સેના વિજય હાંસલ કરવામાં નિષ્ફળ રહી છે.
કિવ/મોસ્કો, 10 એપ્રિલ : યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ રવિવારે તેના 46માં દિવસમાં પ્રવેશ્યું અને રશિયા અત્યાર સુધી યુદ્ધને પોતાની તરફેણમાં ફેરવવામાં નિષ્ફળ રહ્યું છે. યુક્રેનમાં તબાહી મચાવ્યા બાદ પણ રશિયન સેના વિજય હાંસલ કરવામાં નિષ્ફળ રહી છે અને યુક્રેન ફરીથી નવા જોશ સાથે ઉભરી રહ્યું છે. યુક્રેનને સમર્થન આપવા માટે વિશ્વના નેતાઓ કિવ પહોંચી રહ્યા છે, તો બીજી તરફ હવે રશિયાએ પોતાનો કમાન્ડર બદલી નાખ્યો છે.
ઝેલેન્સકીની ચેતવણી
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું છે કે રશિયાની સેના હવે રાજધાની કિવના વિસ્તારો ખાલી કરી રહી છે અને રાજધાની પરનો ખતરો ઓછો થઈ ગયો છે, પરંતુ સાથે જ તેમણે ચેતવણી પણ આપી છે કે રશિયાની સેના દેશના પૂર્વમાં યુદ્ધ માટે આગળ વધી રહી છે. એક અહેવાલમાં ઝેલેન્સકીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, આ એક કઠીન લડાઈ હશે. ઝેલેન્સકીએ કહ્યું, 'અમે આ લડાઈ અને અમારી જીતમાં વિશ્વાસ રાખીએ છીએ. અમે સાથે મળીને લડવા માટે તૈયાર છીએ અને આ યુદ્ધને સમાપ્ત કરવા માટે રાજદ્વારી માર્ગો શોધી રહ્યા છીએ." રશિયન દળોએ વિનાશ વેર્યો છે અને મેરીયુપોલના મુખ્ય બંદર શહેરમાં માનવતાવાદી કોરિડોરનો નાશ કર્યો છે, રહેવાસીઓને સ્થળાંતર કરવામાં અવરોધ ઊભો કર્યો છે.
કિવમાં બ્રિટિશ વડા પ્રધાન
બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને કિવની અઘોષિત મુલાકાત લીધી હતી અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે મુલાકાત કરી હતી. બ્રિટિશ વડા પ્રધાને બખ્તરબંધ વાહનો અને જહાજ વિરોધી મિસાઇલો પહોંચાડવાનું વચન આપતાં કહ્યું હતું કે, "રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના દૃઢ નેતૃત્વ અને અદમ્ય વીરતા અને યુક્રેનિયન લોકોની હિંમતને કારણે જ પુતિનના ભયંકર ઉદ્દેશ્યોને નિષ્ફળ બનાવી શકાયા છે. બીજી તરફ યુક્રેનિયન અધિકારીઓએ દેશની પૂર્વ બાજુના નાગરિકોને તાત્કાલિક સ્થળાંતર કરવા માટે હાકલ કરી છે, કારણ કે રશિયા ડનિટ્સ્ક પ્રદેશમાં ભીષણ હુમલા સાથે દક્ષિણમાં મારયુપોલ પર કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
The Ukrainians have the courage of a lion.
— Boris Johnson (@BorisJohnson) April 9, 2022
President @ZelenskyyUa has given the roar of that lion.
The UK stands unwaveringly with the people of Ukraine.
Slava Ukraini 🇬🇧 🇺🇦 pic.twitter.com/u6vGYqmK4V
બ્રિટિશ પીએમ રસ્તા પર જોવા મળ્યા
યુક્રેન માટે સમર્થનના એક શક્તિશાળી પ્રદર્શનમાં બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોહ્ન્સન શનિવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથે યુદ્ધગ્રસ્ત કિવની શેરીઓમાં ચાલતા જોવા મળ્યા હતા. જ્હોન્સને યુક્રેનની રાજધાનીની ઓચિંતી મુલાકાત લીધી હતી અને રશિયા દ્વારા આક્રમણ સામે તેના પ્રતિકારને મજબૂત કરવા પૂર્વી યુરોપિયન રાષ્ટ્રને વધારાની નાણાકીય અને લશ્કરી સહાયનું વચન આપ્યું હતું. થોડા અઠવાડિયા અગાઉ રશિયન દળો દ્વારા ઘેરાયેલા કિવ શહેરમાં તેમના પ્રવાસ દરમિયાન જોહ્ન્સન હાથ લહેરાતા અને શહેરના રહેવાસીઓ સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા, જ્યારે સશસ્ત્ર સુરક્ષા કર્મચારીઓએ તેમને અને ઝેલેન્સકીને ઘેર્યા હતા.
યુક્રેનમાં મહા વિનાશ
રશિયન સેના રાજધાની કિવની બહાર આવેલા જુદા જુદા શહેરોને ખાલી કરી રહી છે ત્યારે રશિયન ક્રૂરતાની તસવીરો સામે આવી રહી છે. રાજધાની કિવની નજીક સ્થિત બુઝોવા શહેરમાં એક નવું કબ્રસ્તાન મળી આવ્યું છે. આ શહેર પર ઘણા દિવસો સુધી રશિયન સૈનિકોએ કબજો જમાવ્યો હતો અને રશિયન સૈનિકોએ મોટી સંખ્યામાં લોકોને મારી નાખ્યા છે. કબરોમાંથી ઘણા લોકોના મૃતદેહ મળી આવ્યા છે. સમાચાર એજન્સી રોઇટર્સે સ્થાનિક અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે સૈનિકો પીછેહઠ કર્યા પછી શોધાયેલી આ નવી સામૂહિક કબર છે, જે નુકસાનના નિશાન છોડી રહી છે.
#Putin has just assigned the butcher of #Syria to lead a full-scale, reign of war-crime terror in #Ukraine. A million innocent civilians could be slaughtered; many possibly by chemical and biological weapons. The world must stop Putin, it simply must. https://t.co/5syxauSv1Z
— howardfineman (@howardfineman) April 10, 2022
બ્રિટિશ સંરક્ષણ મંત્રાલયનો મોટો દાવો
પોતાના લેટેસ્ટ રિપોર્ટમાં બ્રિટિશ ડિફેન્સ મિનિસ્ટ્રીએ મોટો દાવો કર્યો છે અને કહ્યું છે કે રશિયન સેનાએ યુક્રેનમાં નાગરિકોને ઢાલ બનાવીને મોટી સંખ્યામાં લોકોની હત્યા કરી છે અને તેમને સામૂહિક કબરોમાં દફનાવી દીધા છે. બ્રિટિશ સંરક્ષણ મંત્રાલયે આરોપ લગાવ્યો છે કે રશિયન સેના સ્થાનિક લોકોને પૂછપરછ માટે બંધક બનાવતી હતી અને પછી તેમને ભયાનક અત્યાચાર ગુજારવામાં આવતો હતો. રશિયન સૈન્ય પર નાગરિકોને નજીકથી ગોળી મારવાનો પણ આરોપ છે. બ્રિટને મોસ્કો પર અનેક યુદ્ધ અપરાધોનો આરોપ લગાવ્યો છે.
પુતિને કમાન્ડર બદલ્યા
યુએસ અધિકારી અને યુરોપિયન અધિકારીના જણાવ્યા અનુસાર, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનમાં યુદ્ધનું નિર્દેશન કરવા માટે નવા જનરલની નિમણૂક કરી છે. રિપોર્ટ અનુસાર, કિવ પર કબજો કરવામાં નિષ્ફળ રહ્યા બાદ હવે રશિયન રાષ્ટ્રપતિ કોઈપણ સંજોગોમાં પૂર્વી યુક્રેનમાં યુદ્ધ હારવા માંગતા નથી. રશિયાના સધર્ન મિલિટરી ડિસ્ટ્રિક્ટના કમાન્ડર જનરલ એલેક્ઝાન્ડર ડ્વોર્નિકોવને યુક્રેનમાં રશિયાના સૈન્ય ઓપરેશનના થિયેટર કમાન્ડર બનાવવામાં આવ્યા છે, અધિકારીઓએ સીએનએનને જણાવ્યું હતું.
રશિયાના નવા કમાન્ડર કોણ છે?
સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદની સરકારને ટેકો આપવા માટે સપ્ટેમ્બર 2015માં પુતિને સીરિયામાં રશિયન દળો મોકલ્યા ત્યારે 60 વર્ષની વયના કમાન્ડર ડ્વોર્નિકોવ, સીરિયામાં રશિયાના લશ્કરી કાર્યવાહીના પ્રથમ કમાન્ડર હતા. સપ્ટેમ્બર 2015 થી જૂન 2016 સુધી સીરિયામાં ડ્વોર્નિકોવના કમાન્ડ દરમિયાન રશિયન વિમાનોએ અસદ શાસન અને તેના સાથીઓને ટેકો આપ્યો, કારણ કે તેઓએ બળવાખોરોના કબજા હેઠળના પૂર્વીય અલેપ્પોમાં ઘેરો ઘાલ્યો હતો. તે સમયે એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં રશિયન બોમ્બ ધડાકાના પરિણામે નાગરિક જાનહાનિ થઈ હતી અને સીરિયન સરકારે ડિસેમ્બર 2016 માં ઓલેપ્પ શહેર પર કબજો કર્યો હતો. રશિયન સૈન્યએ યુક્રેનના ભાગોમાં ખતકનાર અભિગમનો ઉપયોગ કર્યો છે અને યુક્રેનિયન બંદર શહેર મારયુપોલને તોડી પાડ્યું છે.