India-China Tension: અમેરિકાએ લદ્દાખ શહીદો અને સૈનિકોના પરિવાર પ્રત્યે સંવેદના જતાવી
India-China Tension: અમેરિકાએ લદ્દાખ શહીદો અને સૈનિકોના પરિવાર પ્રત્યે સંવેદના જતાવી
વૉશિંગ્ટનઃ અમેરિકી વિદેશ મંત્રી માઇક પોંપેયોએ 15 જૂને પૂર્વી લદ્દાખણાં લાઇન ઑફ એક્ચ્યૂઅલ કંટ્રોલ પર ચીન સાથે થયેલ ટકરાવમાં શહીદ થયેલા 20 સૈનિકો પ્રત્યે સંવેદના જતાવી છે. આની સાથે જ તેમણે ભારતના લોકો પ્રત્યે સંવેદનાઓ વ્યક્ત કરી છે. અગાઉ બુધવારે પણ અમેરિકી વિદેશ મંત્રાલય તરફથી ચીન સાથે થયેલ સંઘ્ષ પર સત્તાવાર નિવેદન આપ્યું હતું.

માઇક પોંપેયોએ ટ્વીટ કરી સંદેશ આપ્યો
અમેરિકી વિદેશ મંત્રી માઇક પોંપેયોએ ટ્વીટ કરીને લખ્યું કે, અમે ચીન સાથે થયેલ સંઘર્ષમાં ગુમાવેલી જિંદગીઓ પર ભારતના લોકો પ્રત્યે સંવેદનાઓ વ્યક્ત કરે છે. અમે હંમેશા સૈનિકોના પરિવાર, તેમના પ્રેમ અને એ સમુદાયને યાદ રાખશું જેઓ આઘાતમાં છે. ગલવાન ઘાટીમાં ભારત અને ચીન વચ્ચે મેજર જનરલ સ્તરની વાર્તા થઇ હતી. આ વાર્તા પરિણામવિહણી રહી. પૂર્વી લદ્દાખમાં એલએસી પર ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલ ટકરાવ હવે એક તણાવપૂર્ણ વળાંક પર આવી ગયો છે.
45 વર્ષ બાદ એલએસી પર થયેલ સંઘર્ષમાં ભારત કર્નલ સંતોષ બાબૂ સહિત 20 સૈનિો શહીદ થઇ ગયા. બુધવારે અમેરિકી વિદેશ વભાગના પ્રવક્તા તરફથી કહેવામાં આવ્યું હતું કે, ભારત અને ચીનની વચ્ચે લાઇન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર ચાલી રહેલ સ્થિતિ પર સતત નજર બનાવેલી છે. ભારત અને ચીન બંનેએ ડિ-એસ્કલેશનની ઇચ્છા જતાવી છે અને અમે આ વર્તમાન સ્થિતિના શાંતિપૂર્ણ સમાધાનનું સમર્થન કરીએ છીએ. અમેરકી વિદેશ વિભાગ તરફથી આ પ્રતિક્રિયા ત્યારે આવી જ્યારે ભારત તરફથી આ વાતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી કે એલએસી પર થયેલ હિંસક ટકરાવમાં ભારતના સૈનિકો શહિત થઇ ગયા છે.
વિદેશ વિભાગના પ્રવક્તા તરફથી આગળ કહેવામાં આવ્યું કે, અમે આ વાત પર ધ્યાન આપ્યું કે ભારતની સેના તરફથી 20 જવાનોના નિધનની વાત કહેવામાં આવી છે અને તેમના પરિવાર પ્રત્યે અમે સંવેદનાઓ વ્યક્ત કરીએ છીએ.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ







Click it and Unblock the Notifications
