પાક.માં કુર્આન સળગાવનારને, ટોળાએ સળગાવી દીધો
મીડિયામાં આવી રહેલા સમાચારો અનુસાર આ ઘટના સિંધ પ્રદેશમાં દાદૂ જિલ્લાના સિતા ગામમાં ઘટેલી આ ઘટના છે. સમાચારોમાં કહેવાયું છે કે પોલીસ સ્ટેશનમાં હાજર પોલીસ જવાનો માત્ર તમાશો જોતા રહ્યા અને ટોળાને રોકવાની પણ કોશીશ પણ ના કરી. લોકોએ આ અજાણ્યા વ્યક્તિને પહેલા ઢોર માર માર્યો અને બાદમાં તેને જીવતો સળગાવી દીધો.
સિતા ગામ સ્થિત મસ્જીદના ઇમામ ઉસ્માન મેમને મીડિયાને જણાવ્યુ કે જે વ્યક્તિને ટોળાએ માર્યો છે તે એક પ્રવાસી હતો અને એક રાત માટે મસ્જીદમાં રોકાયો હતો. મેમને જણાવ્યું કે એ વ્યક્તિએ ગુરુવારે રાત્રે નમાજ અદા કરી અને રાતે મસ્જીદમાં જ રોકાયો.
શુક્રવારે સવારે જ્યારે લોકો નમાજ અદા કરવા માટે મસ્જીદમાં આવ્યા તો તેમને કુર્આન સળગેલી હાલતમાં મળી આવ્યું, લોકોએ શંકા વ્યક્ત કરી કે આ કૃત્ય એ વ્યક્તિની હશે કારણ કે મસ્જીદમાં એ એકલો જ હતો. લોકોએ તેને પોલીસને સોંપી ફરિયાદ નોંધાવી. જ્યારે ગામની મસ્જીદમાં આ ઘટના અંગેની જાહેરાત કરવામાં આવી ત્યારે હજારોનું ટોળુ પોલીસ સ્ટેશનમાં ઉમટી પડ્યું.