Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભારત-પાક વચ્ચે તણાવ યથાવત, ઈમરાને કહ્યુ, પહેલા અમે નહિ કરીએ પરમાણુ હથિયારનો ઉપયોગ

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને કહ્યુ કે તેમના તરફથી પહેલા પરમાણુ હથિયારનો ઉપયોગ કરવામાં નહિ આવે.

જમ્મુ કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવાયા બાદથી ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ યથાવત છે. આ તણાવ દરમિયાન પાકિસ્તાન તરફથી ઘણી વાર યુદ્ધની ધમકીઓ આપવામાં આવી. વળી, હવે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને કહ્યુ કે તેમના તરફથી પહેલા પરમાણુ હથિયારનો ઉપયોગ કરવામાં નહિ આવે.

Imran Khan

લાહોરમાં સિખ સમાજને સંબોધિત કરતા ઈમરાન ખાને કહ્યુ કે પહેલા તેમના તરફથી પરમાણુ હથિયારની પહેલ કરવામાં નહિ આવે. ઈમરાન ખાને કહ્યુ કે ભારત-પાકિસ્તાન બંને દેશો પરમાણુ સંપન્ન છે. જો તણાવ વધશે તો દુનિયાને ઘણો ખતરો થઈ શકે છે.

તેમણે કહ્યુ કે પાકિસ્તાન તરફથી પહેલા પરમાણુ હથિયારનો ઉપયોગ કરવામાં નહિ આવે. તમને જણાવી દઈએ કે આ પહેલા ઈમરાન ખાને કહ્યુ હતુ કે પરમાણુ હથિયારથ સંપન્ન બંને પડોશીઓ વચ્ચે વર્તમાન તણાવમાં યુદ્ધ જેવી સ્થિતિ પેદા થઈ શકે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X