ભારત-પાક વચ્ચે તણાવ યથાવત, ઈમરાને કહ્યુ, પહેલા અમે નહિ કરીએ પરમાણુ હથિયારનો ઉપયોગ
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને કહ્યુ કે તેમના તરફથી પહેલા પરમાણુ હથિયારનો ઉપયોગ કરવામાં નહિ આવે.
જમ્મુ કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવાયા બાદથી ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ યથાવત છે. આ તણાવ દરમિયાન પાકિસ્તાન તરફથી ઘણી વાર યુદ્ધની ધમકીઓ આપવામાં આવી. વળી, હવે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને કહ્યુ કે તેમના તરફથી પહેલા પરમાણુ હથિયારનો ઉપયોગ કરવામાં નહિ આવે.
લાહોરમાં સિખ સમાજને સંબોધિત કરતા ઈમરાન ખાને કહ્યુ કે પહેલા તેમના તરફથી પરમાણુ હથિયારની પહેલ કરવામાં નહિ આવે. ઈમરાન ખાને કહ્યુ કે ભારત-પાકિસ્તાન બંને દેશો પરમાણુ સંપન્ન છે. જો તણાવ વધશે તો દુનિયાને ઘણો ખતરો થઈ શકે છે.
તેમણે કહ્યુ કે પાકિસ્તાન તરફથી પહેલા પરમાણુ હથિયારનો ઉપયોગ કરવામાં નહિ આવે. તમને જણાવી દઈએ કે આ પહેલા ઈમરાન ખાને કહ્યુ હતુ કે પરમાણુ હથિયારથ સંપન્ન બંને પડોશીઓ વચ્ચે વર્તમાન તણાવમાં યુદ્ધ જેવી સ્થિતિ પેદા થઈ શકે છે.
આ પણ વાંચોઃ Video: પાકિસ્તાન બૉર્ડર પાસે અભિનંદન વર્તમાને ફરીથી ઉડાવ્યુ મિગ-21, IAF ચીફે આપ્યો સાથ
Pakistan PM Imran Khan says Pakistan will not use nuclear weapons first amid tensions with India: Reuters pic.twitter.com/0JfFqKUI0r
— ANI (@ANI) 2 September 2019