પરવેઝ મુશર્રફને જાનથી મારી નાખીશું : પાકિસ્તાન તાલિબાન

તાલિબાનના પ્રવક્તા એહસાનુલ્લા એહસાને કોઈ અજ્ઞાત સ્થળેથી ટેલિફોન પર એએફપી સમાચાર સંસ્થાને કહ્યું કે અમે મુશર્રફને ખતમ કરવા માટે આત્મઘાતી બોમ્બરોની એક ખાસ ટૂકડી તૈયાર કરી છે. મુશર્રફ પાકિસ્તાન પાછા ફરશે તે પછી તેઓ એમની પર હુમલો કરશે.
મુશર્રફે શુક્રવારે દુબઈમાં એએફપીને આપેલી એક મુલાકાતમાં કહ્યું છે કે પોતે રવિવારે ચોક્કસપણે પાકિસ્તાન પાછા ફરશે અને આવતા મે મહિનામાં પાકિસ્તાનમાં યોજાનારી સંસદીય ચૂંટણી લડશે. ‘એ માટે હું મારા જીવને કોઈ પણ જોખમમાં મૂકવા તૈયાર છું,' એમ તેમણે કહ્યું છે.
એક સવાલના જવાબમાં મુશર્રફે કહ્યું કે, હું રવિવારે પાકિસ્તાન પાછો ફરીશ. 200 ટકા પાછો ફરીશ. હું જમીન માર્ગે કે હવાઈ કે દરિયાઈ, કોઈ પણ માર્ગે જઈશ. એ માટે હું મારી જિંદગીને કોઈ પણ ખતરામાં મૂકી દેવા તૈયાર છું. મેં મારા દેશ માટે આ જ પ્રતિજ્ઞા લીધી હતી.
મુશર્રફ 1999માં પાકિસ્તાનના લશ્કરી વડા હતા ત્યારે રક્તપાતવિહોણા બળવામાં તેમણે પાકિસ્તાનમાં સત્તા કબજે કરી હતી. પરંતુ 2008ના ઓગસ્ટમાં તેમણે દેશના પ્રમુખપદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ આસીફ અલી ઝરદારી નવા પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.
ઝરદારીનાં પત્ની, ભૂતપૂર્વ વડાં પ્રધાન બેનઝિર ભૂટ્ટોની હત્યાના કેસમાં મુશર્રફને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. બેનઝીર 2007ની 27 ડિસેંબરે ગોળીબાર તથા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં માર્યા ગયા હતા. બ્રિટનમાં લગભગ 8 વર્ષ સુધી સ્વેચ્છાએ દેશવટો ભોગવ્યા બાદ બેનઝિર પોતાની મરજીથી પાકિસ્તાન પાછા ફર્યા હતા.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
