અસમા જહાંગીરની ભારતમાં હત્યા કરવા માંગતું હતું પાક: રિપોર્ટ
વૉશિંગ્ટન, 4 સપ્ટેમ્બર : પાકિસ્તાની સૈન્ય અધિકારીઓએ માનવાધિકાર કાર્યકર્તા અસમા જહાંગીરની ભારતમાં હત્યા કરવાની યોજના બનાવી હતી. આ યોજના પાકિસ્તાનના સુરક્ષા પ્રતિષ્ઠાનોના વલણની કડક શબ્દોમાં ટીકા કરી ભારત યાત્રા દરમિયાન અમલમાં લાવવામાં આવી હતી. આ દાવો અમેરિકન મીડિયાના એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે અમેરિકાની ગુપ્તચર એજન્સીઓને આ કાવતરાની ખબર પડી ગઇ હતી.
અમેરિકન સર્વિલાંસ પ્રોગ્રામનો ખુલાસો કરનાર વિસિલબ્લોઅર એડવર્ડ સ્નોડેન દ્વારા મળેલા દસ્તાવેજોના આધાર પર 'વૉશિંગ્ટન પોસ્ટ'એ આ દાવાની સાથે જણાવ્યું છે કે અસમાને મારવાની યોજના એટલા માટે રદ્દ કરવામાં આવી કારણ કે અસમાને આ યોજના અંગેની જાણ થઇ ગઇ હતી અને તેમણે આ માહિતીને ફેલાવી દીધી હતી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ સંબંધમાં ગુપ્તચર એજન્સીઓને મે, 2012માં પુરાવા મળ્યા હતા. ટોપ સીક્રેટ ડિફેન્સ ઇટેલિજેન્સના અહેવાલમાં આ વાતનો ખુલાસો થયો હતો.
રિપોર્ટમાં પણ દાવો કરવામાં આવ્યો છે કે ભલે પાકિસ્તાનની આ યોજના ફેઇલ થઇ ગઇ હોય પરંતુ આ માત્ર એક જ કેસ નથી. આ તો માત્ર એક ઉદાહરણ છે કે કઇ રીતે પાકિસ્તાની સેના અને ઇન્ટેલિજેન્સ લીડર એક્સ્ટ્રાજૂડિશલ હત્યાઓને અંજામ આપે છે.
સ્નોડેન દ્વારા વૉશિંગ્ટન પોસ્ટને આપવામાં આવેલ પુરાવામાં બતાવવામાં આવ્યું છે કે અમેરિકાની ગુપ્ત એજન્સીઓને માત્ર અસમાની હત્યાની યોજના અંગેની માહિતી હતી, પરંતુ તેમને પાકિસ્તાની સેના અને ઇન્ટેલિજન્સ અધિકારીઓના નિશાના પર રહેલા અન્ય શંકાસ્પદ આતંકવાદીઓ અને અન્ય સેન્ય અધિકારીઓની હત્યા માટે બનાવવામાં આવેલી આ પ્રકારની ઘણી ગુપ્ત યોજનાઓની જાણકારી હતી.