પાકિસ્તાને ફરીથી UNને પત્ર લખી કાશ્મીર પર ઈમરજન્સી મીટિંગ બોલાવવાની કરી માંગ
પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને ફરીથી ઈમરજન્સી બેઠક બોલાવવાની માંગ કરી છે.
પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને ફરીથી ઈમરજન્સી બેઠક બોલાવવાની માંગ કરી છે. પાકિસ્તાને કહ્યુ કે ભારત સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવા અને જમ્મુ કાશ્મીરને બે ભાગમાં વહેંચવા માટે આ ઈમરજન્સી બેઠક બોલાવવાની માંગ રાખી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ કહ્યુ કે તેમનો દેશ કોઈ પણ પ્રકારના સંઘર્ષને ઉકસાવશે નહિ પરંતુ ભારતે અમને નબળા સમજવાની ભૂલ ન કરવી જોઈએ.

પાકિસ્તાને યુએનએસસીને લખ્યો પત્ર
UNSCને લખેલા પત્રમાં કુરેશીએ કહ્યુ કે જો ઈન્ડિયા ફરીથી તાકાતનો ઉપયોગ કરશે તો પાકિસ્તાન પોતાની પૂરી ક્ષમતા સાથે આનો જવાબ આપવા માટે બાધ્ય હશે. તેમણે આગળ કહ્યુ કે ખતરનાક પરિસ્થિતિઓને જોતા તેમણે બેઠક બોલાવવાની માંગ કરી છે. પાકિસ્તાને શનિવવારે કહ્યુ હતુ કે બીજિંગે તેમને પૂરો સપોર્ટ આપવાની વાત કહી છે. ચીનના વિદેશ મંત્રી સાથે કુરેશીની મુલાકાતમાં એ ભરોસો આપવામાં આવ્યો. શુક્રવારે ચીને કુરેશીને કહ્યુ હતુ કે તે ભારત અને પાકિસ્તાન બંનેને ‘પડોશી મિત્ર' માને છે અને ઈચ્છે છે કે સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવો અને શિમલા સમજૂતીના માધ્યમથી આ મુદ્દાને ઉકેલી શકાય.

‘યુએનએસસી માળા લઈને ઉભુ નહિ હોય'
કુરેશીએ મીડિયા સાથે વાતચીતમાં પોતાના દેશવાસીઓને કાશ્મીર વિશે કોઈ પણ પ્રકારના ભ્રમમાં ન રહેવા જણાવ્યુ હતુ. તેમણે કહ્યુ કે જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા અનુચ્છેદ-370ને હટાવવાના ભારત સરકારના નિર્ણયના વિરોધમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ જ નહિ મુસ્લિમ જગતનું સમર્થન મેળવવુ પણ પાકિસ્તાન માટે સરળ નહિ હોય. તેમણે કહ્યુ કે અમારા માટે યુએનએસસીમાં કોઈ પણ હાથોમાં માળા લઈને નહિ ઉભુ હોય. ત્યાં કોઈ પણ માળા હાથમાં લઈને તમારી રાહ નહિ જુએ.

પોલેન્ડથી ઝટકો
જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવવાના મુદ્દે પાકિસ્તાન સતત આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવવાની કોશિશમાં લાગી ગયુ છે પરંતુ તે પછડાટ ખાવી પડી છે. પાકિસ્તાન આ પહેલા પણ આ મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ ગયુ હતુ. પરંતુ ત્યાં યુએનએસસીના વર્તમાન અધ્યક્ષ દેશ પોલેન્ડે સ્પષ્ટ કહી દીધુ કે તેણે આ મુદ્દાને દ્વિપક્ષીય સ્તરે જ ઉકેલવો પડશે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અધ્યક્ષતા આ મહિને પોલેન્ડ પાસે છે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ









Click it and Unblock the Notifications
