પાક.માં તાલિબાનોએ શાળાના બાળકોને બનાવ્યા નિશાનો, 126ના મોત
પેશાવર, 16 ડિસેમ્બર: પાકિસ્તાનના પેશાવર વિસ્તારમાં સૈનિક શાળામાં આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આતંકીઓ સૈનિક શાળામાં ઘુસી જઇને માસૂમ બાળકોને પોતાના નિશાને લીધા હતા. એઆરવાય ન્યૂઝ અનુસાર આ હુમલામાં 126 લોકોના મોત થઇ ગયા છે. મરનારા બાળકો, એક શિક્ષિકા અને સુરક્ષાકર્મીઓનો સમાવેશ થાય છે. એક આતંકવાદીએ વિસ્ફોટ કરીને ખુદને ઊડાવી દીધો છે. તહરીક એ તાલિબાને હુમલા બાદ નિવેદન જારી કર્યું છે કે ઉત્તરી વજીરિસ્તાનમાં સેનાએ જે કાર્યવાહી કરી છે તેનો આ બદલો છે.
નોંધનીય છે કે પાકિસ્તાની સેનાએ છેલ્લા 6 મહીનાની અંદર 1200થી વધારે આતંકવાદીઓને મારી નાખ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે શાળાની અંદર ઘુસેલા 6 આતંકવાદીઓએ 500 બાળકો અને કેટલીક શિક્ષિકાઓને બંધક બનાવી લીધી હતી. તેમને શાળાના ઓડિટોરિયમમાં રાખવામાં આવેલ છે. આ અંગેની માહિતી મળતા જ સિક્યોરિટી ફોર્સે શાળાને ચારેય તરફથી ઘેરી લીધી છે, ફિલહાલ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.

પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ પેશાવર માટે રવાના થઇ ગયા છે. નવાઝે જણાવ્યું કે ગુનેગારોને કોઇપણ કિંમતે છોડવામાં નહીં આવે. પાકિસ્તાનમાં 3 દિવસના શોકની જાહેરાત કરી દેવામાં આવી છે. તહરીકે તાલિબાને હુમલા બાદ નિવેદન જારી કર્યું છે કે ઉત્તરી વજીરિસ્તાનમાં સેનાએ જે કાર્યવાહી કરી છે આ તેનું પરિણામ છે. નોંધનીય છે કે પાકિસ્તાની સેનાએ 6 મહીનાની અંદર 1200થી વધારે આતંકવાદીઓને ઠાર માર્યા છે.
આ ઘટના અંગે શાંતિ માટે નોબેલ પુરસ્કારથી સન્માનવામાં આવેલી પાકિસ્તાની કિશોરી મલાલા યુસુફરઝાઇએ ચિંતા સાથે શોકની લાગણી વ્યક્ત કરી હતી.
Scared Taliban! #PakistanSchoolAttack #Peshawar #cartoon pic.twitter.com/82f3oOQVyi
— Satish Acharya (@satishacharya) December 16, 2014 











Click it and Unblock the Notifications
