ભારત અને પાકિસ્તાને "શાંતિ"ને એક બીજો મોકો આપ્યો
શુક્રવારે, રશિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ સાથે દ્રિપક્ષીય બેઠક કરી. આ બેઠક દરમિયાન બન્ને દેશોના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર હતા. નોંધનીય છે કે આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા પહોંચ્યા હતા. જે બાદ નવાઝ શરીફે હાજરી આપી હતી.
ત્યારે આ અડધો કલાક ચાલેલી બેઠકમાં આંતરાષ્ટ્રિય સીમાનું ઉલ્લંધન, ધુસણખોરી, આતંકવાદ જેવા અનેક મુદ્દોઓ પર ચર્ચા થઇ. વધુમાં બન્ને નેતાઓએ આર્થિક વેપાર મામલે પણ વાતચીત કરી.

નોંધનીય છે કે આ પહેલા પણ બન્ને નેતાઓની નેપાળના કાઠમાંડૂંમાં બેઠક થઇ હતી. પણ તે વખતે દ્રિપક્ષીય વાતચીત નહતી થઇ. જો કે આ પહેલા રમઝાનના પાક. મહિનામાં પીએમ મોદીએ ફોન દ્વારા નવાઝ શરીફને શુભકામનાઓ આપી હતી. અને જે બાદ બન્ને દેશો માછીમારોને છોડ્યા હતા.
ત્યાં જ બીજી તરફ પાછલા બે દિવસથી કાશ્મીરની આંતરાષ્ટ્રિય સીમા પર પાકિસ્તાન દ્વારા આંતરાષ્ટ્રિય સીમાનું ઉલ્લંધન અને ભારે ગોળીબારી થઇ રહી છે. ત્યારે આ લોકોની વાતચીત બાદ વિદેશ સચિવ એસ.જયશંકર પ્રેસ કોન્ફર્ન્સ કરી આ વિષય પર વધુ જાણકારી આપશે.












Click it and Unblock the Notifications
