ઈટલીમાં એક દિવસમાં રેકૉર્ડ 743 લોકોના કોરોના વાયરસના કારણે મોત
ઈટલીમાં જાનલેવા કોરોના વાયરસનો કહેર યથાવત છે. અહીં રોજ સેંકડોની સંખ્યામાં લોકો આ સંક્રમણના કારણે મરી રહ્યા છે. અહીં એક દિવસમાં 743 લોકોના જીવ ગયા છે.
ઈટલીમાં જાનલેવા કોરોના વાયરસનો કહેર યથાવત છે. અહીં રોજ સેંકડોની સંખ્યામાં લોકો આ સંક્રમણના કારણે મરી રહ્યા છે. અહીં એક દિવસમાં 743 લોકોના જીવ ગયા છે. ઈટલીમાં અત્યાર સુધી કુલ 6820 લોકોના આ વાયરસના કારણે મોત થઈ ચૂક્યા છે. આ પહેલા સોમવારે 602 લોકોના વાયરસના કારણે મોત નીપજ્યા હતા. વળી, રવિવારે 650 લોકો કોરોનાના મોતને ભેટ્યા હતા. શનિવારે સર્વાધિક 793 લોકોના મોત કોરોના વાયરસના કારણે થયા હતા.

રોજ મરી રહ્યા છે સેંકડો લોકો
ઈટલીમાં કોરોના વાયરસથી સંક્રમિત કુલ લોકોની વાત કરીએ તો આ સંખ્યા 69176 સુધી પહોંચી ગઈ છે. સોમવારે કુલ સંક્રમિત લોકોની સંખ્યાને મિલાવીએ તો 8 ટકાનો વધારો થયો છે. સોમવારે કુલ સંક્રમિત લોકોની સંખ્યા 63927 હતી. 8326 લોકો જે આ વાયરસથી સંક્રમિત હતા તે સંપૂર્ણપણે ઠીક થઈ ચૂક્યા છે. વર્તમાન સમયમાં 3396 લોકો આઈસીયુમાં ભરતી છે. આ પહેલા 3204 લોકો આઈસીયુમાં ભરતી હતા. લોંબાર્ડી કે જે સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર છે ત્યાં અત્યાર સુધી 4178 લોકોના મોત થઈ ચૂક્યા છે જ્યારે અહીં 30703 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે.

આખી દુનિયામાં 4 લાખથી વધુ લોકો સંક્રમિત
તમને જણાવી દઈએ કે કોરોના વાયરસનુ સંક્રમણ આખી દુનિયામાં ફેલાઈ ચૂક્યુ છે. કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 4 લાખને પાર કરી ગઈ છે. જ્યારે આ સંક્રમણના કારણે અત્યાર સુધી 18થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. ભારતમાં પણ આ વાયરસથી નિપટવા માટે સરકાર યુદ્ધના સ્તરે પગલાં લઈ રહી છે. મંગળવારે રાતે પીએમ મોદીએ આખા દેશમાં 21 દિવસ સુધી લૉકડાઉનની ઘોષણા કરી. પીએમે પોતાના સંબોધનમાં દેશવાસીઓને કહ્યુ કે તમે લોકો પોતાના ઘરોમાં જ રહો, જાન હે તો જહાન હે.

બહુ ઝડપથી ફેલાય છે આ વાયરસ
પીએમ મોદીએ કહ્યુ કે દુનિયાના સમર્થમાં સમર્થ દેશોને પણ કેવી રીતે આ મહામારીએ એકદમ લાચાર બનાવી દીધા છે. એવુ નથી કે આ દેશો પ્રયત્ન નથી કરી રહ્યા કે પછી તેમની પાસે સંશાધનોની કમી છે પરંતુ કોરોના વાયરસ એટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે કે તમામ તૈયારીઓ અને પ્રયાસો છકાં આ દેશોમાં પડકારો વધતા જઈ રહ્ય છે. ડબ્લ્યુએચઓ અનુસાર આ બિમારીથી સંક્રમિત એક વ્યક્તિ 7-10 દિવસમાં સેંકડો લોકોને આ બિમારી પહોંચાડી શકે છે. આ આગની જેમ ઝડપથી ફેલાય છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
