અફઘાનિસ્તાનમાં ડ્રગ તસ્કરીના મહત્ત્વપૂર્ણ માર્ગ કુંદૂઝ પર તાલિબાનનો કબજાનો દાવો, અમેરિકાનો બી-52 વિમાનથી હુમલો
અફઘાનિસ્તાનમાં ડ્રગ તસ્કરીના મહત્ત્વપૂર્ણ માર્ગ કુંદૂઝ પર તાલિબાનનો કબજાનો દાવો, અમેરિકાનો બી-52 વિમાનથી હુમલો

અફઘાનિસ્તાનાં નિમરોઝની રાજધાની ઝરાંજ પર શુક્રવારે કબજો કર્યા બાદ તાલિબાને વધુ બે પ્રાંતીય રાજધાની કબજે કરી લીધી હોવાનો દાવો કર્યો છે.
તાલિબાનનું કહેવું છે કે તેને કુંદૂઝ અને સર-એ-પુલ પર કબજો કરી લીધો છે. જોકે તાલિબાનના આ દાવાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી.
રવિવારે સવારે અફઘાનિસ્તાન તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદ તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તાલિબાને કુંદૂઝ અને સર-એ-પુલના તમામ સરકારી કાર્યાલયો પર કબજો કરી લીધો છે.
મુજાહિદે કહ્યું, તાલિબાન લડવૈયાઓએ તબક્કાવાર હુમલા કર્યા અને રવિવારે સવારે પાટનગરો પર કબજો કરી લીધો.
સમાચાર એજન્સી એએફપી અનુસાર કુંદૂઝની પ્રાંતીય પરિષદના સભ્ય અમરુદ્દીન વલીએ કહ્યું છે કે 'શહેરના અલગ-અલગ ભાગમાં ભીષણ લડાઈ ચાલી રહી છે.'
એએફપી સાથે વાત કરતા કુંદૂઝના એક નાગરિક અબ્દુલ અઝીઝે કહ્યું, "તાલિબાન લડવૈયા શહેરના મુખ્ય ચોકમાં પહોંચી ગયા છે. ભીષણ બૉમ્બમારો કરવામાં આવી રહ્યો છે. ચારેય તરફ હાહાકાર મચી ગયો છે."
- લશ્કરગાહ માટે તાલિબાન અને અફઘાન સેના વચ્ચે ભયંકર લડાઈ, કેમ અગત્યનું છે આ શહેર?
- અફઘાનિસ્તાન: લશ્કરગાહમાં રસ્તે રઝળે છે મૃતદેહો, લોકોને શહેર છોડી દેવા અપીલ
કુંદૂઝ કેમ મહત્ત્વનું છે?

જો તાલિબાન કુંદૂઝ પર કબજો કરવામાં સફળ થશે તો આ અત્યાર સુધી તેના નિયંત્રણમાં આવનાર સૌથી મહત્ત્વનું શહેર હશે.
દેશના મોટાભાગના ગ્રામીણ વિસ્તાર અને જિલ્લાનું નિયંત્રણ પહેલેથી જ તાલિબાનના હાથમાં આવી ચૂક્યું છે. અફઘાનિસ્તાનની સેના પ્રાંતીય રાજધાનીઓ અને શહેરોની સુરક્ષા કરવામાં જોડાયેલી છે.
આ શહેરને દેશના ઉત્તરમાં આવેલા પ્રાંતોનો પ્રવેશદ્વાર માનવામાં આવે છે અને તેનું સ્થાન તેને વ્યૂહાત્મક રીતે મહત્ત્વનું બનાવે છે. કારણ કે કુંદૂઝને રાજધાની કાબુલ સહિત અન્ય મોટાં શહેરો સાથે જોડતા રાજમાર્ગો છે અને આ પ્રાંત તાજિકિસ્તાન સાથે સરહદ ધરાવે છે.
આ સરહદનો ઉપયોગ સેન્ટ્રલ એશિયામાં અફઘાન અફીણ અને હેરોઇનની તસ્કરી માટે કરવામાં આવે છે, જે બાદમાં યુરોપ સુધી પહોંચાડવામાં આવે છે.
કુંદૂઝને નિયંત્રણમાં લેવાનો અર્થ છે કે આ ક્ષેત્રમાં ડ્રગની તસ્કરી માટે સૌથી મહત્ત્વપૂર્ણ માર્ગમાંથી એકને નિયંત્રિત કરવો.
- તાલિબાનનું નિશાન અફઘાન પ્રાંતોનાં પાટનગરો પર, એક જેલ પર કબજો કરી કેદીઓને મુક્ત કર્યાનો દાવો
- અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓનો ઉદય કેવી રીતે થયો અને કોણે એમને મદદ કરી?
અફઘાન સરકારનો દાવો કંઈક અલગ
https://twitter.com/FawadAman2/status/1424252231143116801
અફઘાનિસ્તાનના રક્ષા મંત્રાલયના ડેપ્યુટી પ્રવક્તા ફવાદ અમાને દાવો કર્યો છે કે અમેરિકાના બૉમ્બર વિમાન બી-52એ જોવઝઝાન પ્રાંતની રાજધાની શેબરગાનમાં તાલિબાનના આશ્રયસ્થાનોને નિશાન બનાવ્યા છે.
તેમણે દાવો કર્યો કે આ હવાઈ હુમલામાં તાલિબાનના આશ્રયસ્થાન અને સભાઓને નિશાન બનાવાયા, જેમાં ઓછામાં ઓછા 200 તાલિબાન લડવૈયા માર્યા ગયા છે અને તાલિબાનના હથિયાર અને વાહન નષ્ટ થવાનો દાવો પણ કર્યો છે.
ફવાદે દાવો કર્યો કે છેલ્લા 24 કલાકમાં 572 લડવૈયાઓ માર્યા ગયા છે અને 309 ઈજાગ્રસ્ત થયા છે.
https://twitter.com/FawadAman2/status/1424247987606327296
ફવાદ અનુસાર અફઘાન સેના અફઘાનિસ્તાનના અનેક શહેરોમાં તાલિબાન સામે લડી રહી છે. જેમાં નંગરહાર, લગમન, ગઝની, પખ્તિયા, પક્તિકા, કંધાર, ઉરુઝગન, હેરાત, ફરાહ, જજ્જાન, સર-એ-પુલ, ફરયાબ, હેલમંદ, નિમરોઝ, કુંદૂઝ, બદખ્શાં, તખર અને કપિસામાં ભીષણ લડાઈ ચાલી રહી છે.
બીજી તરફ તાલિબાને અત્યાર સુધી આ ઘટનાઓ પર કોઈ ટિપ્પણી કરી નથી, જોકે ઝબીઉલ્લાહ મુજાહિદે શનિવારે ટ્વિટર પર કહ્યું હતું કે તાલિબાને શનિવારે જોવઝઝાનના ગવર્નર હાઉસ, પોલીસ હેડક્વૉર્ટર અને ગવર્નર કાર્યાલય પર મોટો હુમલો કર્યો હતો.
મુજાહિદે દાવો કર્યો કે અફઘાનિસ્તાન સેનાના જવાન અને સમર્થક લડવૈયા શહેરથી ભાગી ગયા છે.
બીબીસીના એક સવાલ પર અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડના પ્રવક્તા નિકોલ ફરેરાએ કહ્યું કે તેઓ અમેરિકાની સેનાના ફાઇટર વિમાનના હુમલા વિશે કોઈ વિશેષ ટિપ્પણી નહીં કરે. પરંતુ અમેરિકાની સેનાએ તાજેતરના સમયમાં અફઘાનિસ્તાનના લોકોના બચાવમાં અનેક મોટા હવાઈ હુમલા કર્યા છે.
- તાલિબાને અફઘાનિસ્તાનના કયા-કયા વિસ્તારોમાં કબજો જમાવી લીધો છે?
- ઈરાનમાં લોકોનો પોકાર 'અમને પાણી આપો', કેમ દુકાળિયો બની રહ્યો છે દેશ?
2 લાખ લોકો ઘરેથી ભાગવા માટે મજબૂર બન્યાં

સંયુક્ત રાષ્ટ્રના શરણાર્થી મામલાની સંસ્થા યુએનએચસીઆરે અફઘાનિસ્તાનમાં ચાલી રહેલી લડાઈના કારણથી થઈ રહેલા લોકોની વધતી સંખ્યા પર ચિંતા વ્યક્ત કરી છે.
યુએનએચસીઆરે અફઘાન સંકટના તાત્કાલિક સમાધન માટે આહવાન કર્યું છે.
સંયુક્ત રાષ્ટ્રના એક વરિષ્ઠ અધિકારીએ અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા યુદ્ધને તાત્કાલિક સમાપ્ત કરવાનું આહવાન કરતા કહ્યું કે જો વર્તમાન સંકટનું ઝડપથી સમાધાન નહીં કરવામાં આવે તો મોટી સંખ્યામાં લોકો વિસ્થાપિત થશે.
બીજી તરફ અફઘાનિસ્તાનના શરણાર્થી મંત્રાલયનું કહેવું છે કે છેલ્લા છ મહિનામાં બે લાખ લોકો પોતાના ઘરેથી ભાગવા માટે મજબૂર બન્યા છે.
મંત્રાલયના પ્રમુખ મેહર ખુદા સાબિરે બીબીસીને કહ્યું, 'છેલ્લા એક મહિનાની અંદર જ ચાર હજાર પરિવાર વિસ્થાપિત થયા છે.'
- ભારતને સુરક્ષા પરિષદનું અધ્યક્ષપદ મળવું પાકિસ્તાન માટે ચિંતાનો વિષય?
- તાલિબાને અડધા અફઘાનિસ્તાન પર કબજો કઈ રીતે જમાવી લીધો?


- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=CZRuslESZUI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
