અમેરિકામાં બાળકોનું રસીકરણ છતાં હજારો બાળકો કોરોના સંક્રમિત - Top News
અમેરિકામાં બાળકોનું રસીકરણ છતાં હજારો બાળકો કોરોના સંક્રમિત - Top News
અમેરિકામાં છેલ્લા ત્રણ અઠવાડિયાથી કોરોના વાઇરસ સંક્રમણના રોજના સરેરાશ એક લાખ કેસો નોંધાઈ રહ્યા છે અને તેમાં પણ પંદર ટકા કેસો બાળકોમાં નોંધાઈ રહ્યાં છે.
અમેરિકન સરકારે આને લઈને ચિંતા વ્યક્ત કરી છે. અમેરિન ઍકેડમી ઑફ પિડિયાટ્રિક્સ (એએપી)ના એક સંશોધનમાં જણાવ્યું છે કે છેલ્લા સપ્તાહમાં કેસનો કુલ આંકડો 94,000ને સ્પર્શી ગયો છે. ગાર્ડિયન
જોકે, 'ધ ગાર્ડિયન'ના અહેવાલ અનુસાર હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ થનારાં બાળકોની સંખ્યા બે ટકા કરતાં પણ ઓછી છે અને મરણાંક નહિવત્ છે.
એએપી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 5 ઑગસ્ટ સુધીમાં કુલ 43 લાખ બાળકોને કોરોનાનો ચેપ લાગી ચૂક્યો છે.
અમેરિકામાં હાલ બાર વર્ષથી વધારે વયનાં 60 ટકા બાળકોને કોરોનાની રસીના બંને ડોઝ અને 70 ટકા બાળકોને કોરોનાની રસીનો એક ડોઝ અપાઈ ચૂક્યો છે.
અમેરિકામાં ફાઇઝર કંપનીની રસી બાર વર્ષ કરતાં વધારે વયનાં બાળકોને આપવા માટે મંજૂરી મળી ચૂકી છે. સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલના આંકડાઓ અનુસાર હાલ પાંચથી પંદર વર્ષનાં કિશોરો કોરોનાનો ભોગ વધારે બની રહ્યાં છે.
આ દરમિયાન લુસિઆના, ફલૉરિડા અને અરકાન્સાસમાં કોરોનાની ગંભીર સ્થિતિ છે. અરકાન્સાસમાં સૌથી વધારે લોકો મૃત્યુ પામ્યાં છે. છેલ્લા એક સપ્તાહમાં અરકાન્સાસમાં મરણાંકમાં 18 ટકાનો વધારો નોંધાયો છે.
- એ જમાનામાં તાલિબાને અફઘાનિસ્તાનનો શું હાલ કર્યો હતો?
- તાલિબાન સામે અફઘાનિસ્તાનના સૈનિક આટલા લાચાર કેમ છે?
- હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં ભૂસ્ખલન, દસ મૃતદેહો મળ્યા, 14 લોકોને બચાવાયા
ATMમાં રોકડ નહીં હોય તો RBI બૅન્કોને દંડ કરશે
દરેક બૅન્કો તથા વ્હાઇટ લેબલ ઑટોમેટેડ ટેલર મશીન (એટીએમ) ઑપરેટરોને એટીએમમાં નાણાં જાળવી રાખવા રિઝર્વ બૅન્ક દ્વારા સૂચના આપવામાં આવી છે.
એક મહિનામાં દસ કલાકથી વધુ સમય માટે કોઈ એટીએમમાં રોકડ નહીં હોવાનું જણાશે તો તે બદલ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા જે તે બૅન્કને દંડ ફટકારશે.
બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ અનુસાર 1લી ઑકટોબરથી લાગુ થનારા આ નવા નિયમ હેઠળ પ્રતિ એટીએમ રૂપિયા દસ હજારની પેનલ્ટી લાગુ કરાશે. એટીએમમાં રોકડ છે કે નહીં તેની ખાતરી રાખવામાં નિષ્ફળ જનારી બૅન્કોએ રિઝર્વ બૅન્કને દંડ ચૂકવવાનો રહેશે, એવું રિઝર્વ બૅન્ક દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં જણાવાયું હતું.
રોકડ વગર એટીએમ કેટલો સમય ખાલી રહે છે, તેની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી અને એટીએમએમમાં રોકજને અભાવે ગ્રાહકોએ અસુવિધા ભોગવવી પડતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
આ બાબતને ધ્યાનમાં રાખી આ નવો નિયમ લાગુ કરવામાં આવી રહ્યો છે, એમ રિઝર્વ બૅન્કે જણાવ્યું હતું.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો