સંયુક્ત રાષ્ટ્રના વડાએ નિર્ભયાની મોત અંગે શોક વ્યક્ત કર્યો
આ બિભસ્ત ઘટનાની બાન કી મૂન દ્વારા આકરી ટીકા કરવામાં આવી છે. તેમણે ઊંડા દુ:ખની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું છે કે તેમને પીડિતાના માતા-પિતા, પરિવાર અને મિત્રો પ્રત્યે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે.
સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવના પ્રવક્તાની તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બાન કી મૂને ભારત સરકાર તરફથી આ મામલે કરવામાં આવેલી તાત્કાલિક કાર્યવાહીને આવકારી છે. તેમણે આ પ્રકારના અપરાધોને રોકવા માટે કાયદમાં સુધારા અને દોષિતોને ન્યાયયિક પ્રક્રિયા હેઠળ તત્કાળ લાવવામાં આવે તેવા પગલાં ભરવાની હિમાયત કરી છે.
ઉલ્લેખનીય છે કે ગત 16 ડિસેમ્બરના રોજ દિલ્હીમાં ચાલતી બસમાં છ લોકોએ 23 વર્ષની છોકરી સાથે સામૂહિક બળાત્કાળ કરવા સાથે જ મારપીટ કરીને હૈવાનિયતનો વ્યવહાર કર્યો હતો. અંદાજે એક સપ્તાહ સુધી જીવન અને મોત વચ્ચે ઝોલા ખાધા બાદ તેણે શનિવારે સવારે સિંગાપુરના માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ ભર્યા હતા.