ભારતીયો માટે એચ1બી વીઝાનો કોટા વધારવા અપીલ
છેલ્લા કેટલાક દિવસોથી નોર્થ અમેરિકન એસોસિએશન ઓફ ઇન્ડિયન આઇટી પ્રોફેશનલ(એનએઆઇઆઇપી) સાથે જોડાયેલા દેશભરમાં કામ કરી રહેલા ભારતીય આઇટી પ્રોફેશનલ્સ પોતાની વાત રજૂ કરવા અને વ્યાપક રીતે ઇમિગ્રેશન સુધારા માટે ડઝનેક સાંસદો સાથે મુલાકાત કરી રહ્યાં છે.
એચ1બી વીઝાનો કોટા વધારવાના આગ્રહ કરવાની સાથે જ એનએઆઇઆઇપીએ અમેરિકામાં જ આ એચ1બી વીઝાને પુનર્માન્યીકૃત કરવામાં આવે તેવી વ્યવસ્થાની પણ માંગ કરી છે. તેમનુ કહેવું છે કે જો દેશ વિશિષ્ટ વીઝા પ્રણાલી ખત્મ કરી દે તો, નિયોક્તા પોતાની જરૂરિયાત અનુસાર કોઇપણ દેશમાંથી આ ક્ષેત્રના વધારે અનુભવી કર્મચારીઓને લાવી શકાય.
તેની સાથે જ આ સંઘે એચ1બી કર્મચારીઓના વીઝા ખત્મ થતા વતન પરત મોકલવાની અવધિને 60 દિવસ કરવાનો આગ્રહ કર્યો છે. હાલ તેમાં એક પણ દિવસની છૂટ નથી અને કર્મચારીઓને વીઝા ખત્મ થતા જ તેને એ જ દિવસે અમેરિકા છોડી દેવું પડે છે.