દેવયાનીની અમેરિકા વિરૂદ્ધ મોટી જીત, કોર્ટે આરોપો નકારી કાઢ્યા
ન્યૂયોર્ક, 13 માર્ચ: ભારતીય રાજદૂત દેવયાની ખોબરાગડેને મોટી રાહત મળી છે. અમેરિકન કોર્ટે દેવયાની ખોબરાગડે વિરૂદ્ધ વીઝા છેતરપિંડીથી સાથે જોડાયેલા બધા આરોપ નકારી કાઢ્યા છે. અમેરિકામાં દેવયાની પર વીઝા છેતરપિંડી અને પોતાની નોકરાણીને ઓછું મહેનતાણું આપવાનો કેસ ચાલતો હતો.
મૈનહટનની કોર્ટે કહ્યું કે જે સમયે દેવયાની ખોબરાગડે પર વીઝા છેતરપિંડી અને પોતાની નોકરાણીના પગારને લઇને ખોટા નિવેદનના આરોપ પર આરોપો નક્કી કરવામાં આવ્યા હતા, તે સમયે તેમને રાજદૂર સંરક્ષણ પ્રાપ્ત હતું. જજે કહ્યું હતું કે તેમાં કોઇ વિવાદ નથી કે દેવયાનીને રાજદૂત સંરક્ષણ પ્રાપ્ત હતું.
દેવયાની ખોબરાગડેના વકીલ ચૂકાદા પર ખુશી વ્યક્ત કરી છે અને તેમનું કહેવું છે કે દેવાયાની ખોબરાગડે ખુશ છે કાયદાનું પાલન થયું છે. દેવયાની ખોબરાગડેના વકીલના અનુસાર ટેક્નિકલ રીતે આ મુદ્દો ખતમ થયો નથી અને તેની ફરીથી તપાસ થઇ શકે છે. પરંતુ તેમણે કહ્યું હતું કે જો આમ થાય છે તો તે નિર્ણય આઅક્રમ અને ગેરજરૂરી હશે.

અત્રે ઉલ્લેખનીય છે કે 1999 બેંચની આઇએફએસ દેવયાની ખોબરાગડેને વીઝા છેતરપિંડી અને પોતાની નોકરાણીને ઓછું મહેતાણું આપવાના આરોપમાં ન્યૂયોર્કમાં 12 ડિસેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતે. દેવયાની ખોબરાગડેને ઇન્ડિયા-યૂએસ હેડક્વાર્ટર્સ એગ્રીમેંટટ હેઠળ 8 જાન્યુઆરીના રોજ પૂર્ણ રાજનયિક છૂટ આપવામાં આવી હતી.
દેવયાની ખોબરાગડે વિરૂદ્ધ છેતરપિંડી અને નોકરાણીને આપવામાં આવતા પગારની બાબતે ખોટી માહિતી આપવાનો આરોપ હતો. આ બાબતે ના ફક્ત તેમણે કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા પરંતુ તેમના કપડાં ઉતારીને તલાશી લેવામાં આવી હતી .આ મુદ્દે બંને દેશો વચ્ચે ગરગા ગરમી વધી ગઇ હતી. ભારતે પણ તેના જવાબમાં અમેરિકન રાજદૂતો પર કડકાઇ બતાવી હતી.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
