ચીને છૂપાવી હતી કોરોના વાયરસની માહિતીઃ અમેરિકી મેગેઝીને ચીન પર ઉઠાવ્યા સવાલ
અમેરિકાની એક મેગેઝીને હવે ચીનને શંકાના ઘેરામાં લાવીને ઉભુ કરી દીધુ છે.
કોરોના વાયરસ જેણે અત્યાર સુધી 24,000થી વધુ લોકોના જીવ લઈ લીધા છે અને 5,00,000 લોકો પર અસર કરી છે, હવે દુનિયાભરને અપીલ કરી રહ્યુ છે કે આ મહામારી સામે એક જંગ છેડવી જોઈએ. આ એ જ ચીન છે જે એ સમય સુધી શાંત બેઠુ હતુ જ્યારે વુહાનમાં વાયરસ તબાહી ફેલાવી રહ્યો હતો. આજે દુનિયામાં જાન-માલનુ તો નુકશાન થઈ રહ્યુ છે પરંતુ અર્થવ્યવસ્થાની કમર તૂટી રહી છે. અમેરિકાની એક મેગેઝીને હવે ચીનને શંકાના ઘેરામાં લાવીને ઉભુ કરી દીધુ છે. મેગેઝીને પોતાના રિપોર્ટમાં આખી ટાઈમલાઈન આપી છે કે કેવી રીતે અને ક્યારે ક્યારે ચીને અસલિયત છૂપાવવાની કોશિશ કરી.

સમયસર દુનિયાને ચેતવી શકતુ હતુ ચીન
અમેરિકી મેગેઝીન નેશનલ રિવ્યુમાં આવેલા એક રિપોર્ટ મુજબ જો ચીને સમયસર આ વાયરસ વિશે દુનિયાને જણાવી દીધુ હોત તો કદાચ આજે તસવીર અલગ જ હોત. લોકોનો જીવ બચાવી શકાતો હતો અને સીવિયર એક્યુટ રેસ્પીરેટરી સિંડ્રોમ (સાર્સ) જેવા આ વાયરસને નિયંત્રણમાં લાવી શકાયો હોત. મેગેઝીન મુજબ કોરોના વાયરસ ચીનના હુબેઈ પ્રાંતમાં જાનવરોના માર્કેટમાંથી નીકળ્યો. પહેલા તે જાનવરમાં પહોંચ્યો અને પછી જાનવરથી માનવી સુધી પહોંચ્યો. હવે આ એક ખતરનાક સંક્રમણમાં બદલાઈ ચૂક્યો છે. જ્યારે વુહાનમાં આ વાયરસનો પહેલો દર્દી એક ડિસેમ્બરે જ સામે આવી ગયો હતો.
ડૉક્ટરની પણ પોલિસે કરી ધરપકડ
પાંચ દિવસ બાદ આણે એ વ્યક્તિની 53 વર્ષીય પત્નીને પણ સંક્રમિત કરી દીધી જે બજાર નહોતી ગઈ. મહિલામાં પણ ન્યૂમોનિયા જેવી બિમારીના લક્ષણ જોવા મળ્યા. ડિસેમ્બરના બીજા અઠવાડિયા સુધી વુહાનના ડૉક્ટરો પાસે નવા કેસ આવતા રહ્યા અને આ વાતની માહિતી મળી કે વાયરસ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાઈ રહ્યો છે. 25 ડિસેમ્બરે વુહાનની બે હોસ્પિટલોમાં મેડીકલ સ્ટાફ શંકાસ્પદ જોવા મળ્યા અને તેમને આઈસોલેશનમાં રાખી દેવામાં આવ્યા. ત્યારબાદ વુહાનમાં આ રીતની અસામાન્ય ન્યૂમોનિયા તાવના કેસમાં વધારો થવા લાગ્યો. ત્યારબાદ હુનાનના સી-ફૂડ માર્કેટથી આને જોડીનો જોવામાં આવવા લાગ્યુ. જાન્યુઆરીમાં ડૉક્ટર લી વેનલિયાંગને પોલિસે અફવા ફેલાવવાના કેસમાં પકડી લીધા હતા.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
