સવિતા કેસ: HIQA કરાવશે નવેસરથી તપાસ

સ્વાસ્થ્ય સૂચના અને ગુણવત્તા પ્રાધિકરણે શુક્રવારે સવિતાના મોતના મામલાની ફરીથી તપાસની શરૂઆત કરી છે, અને કહ્યું છે કે જો આ તપાસમાં જો એ બાબત સામે આવે કે ભવિષ્યમાં આવી સ્થિતિથી અન્ય મહિલાઓના જીવ જોખમમાં મૂકાય તેવું જણાય તો તે નવેસરથી તપાસના આદેશ જારી કરી શકે છે.
31 વર્ષીય સવિતાની ગયા 28 ઓક્ટોબરના રોજ ગૈલવે યુનિવર્સિટી હોસ્પિટલમાં મૃત્યુ થઇ ગઇ હતી. તે 17 અઠવાડીયાની ગર્ભવતી હતી. તેના ગર્ભમાં ઇન્ફેક્શન લાગી જવાથી તેનું મોત થયું હતું.
સવિતાના પતિ પ્રવિણે જણાવ્યું કે તેમણે ઘણી વખત ગર્ભપાત કરવાનું જણાવ્યું પરંતુ ડોક્ટરોએ આયરીસ કાનૂનનો હવાલો આપી તેવું કરવાનો ઇનકાર કરી દીધો હતો. જોકે પ્રવિણે જણાવ્યુ કે તે આ તપાસનો ભાગ નહી બને અને તે આની સાર્વજનિક તપાસ માટે યૂરોપીય માનવાધિકાર કોર્ટનો દરવાજો ખખડાવશે.












Click it and Unblock the Notifications
