ધોનીના નિશ્વાર્થ નિર્ણયનું સમ્માન કરો, અને કોહલીને સમય આપો: શાસ્ત્રી
સિડની, 4 જાન્યુઆરી: ભારતીય ક્રિકેટ ટીમના નિર્દેશ રવિ શાસ્ત્રીનું માનવું છે કે નવા કપ્તાન વિરાટ કોહલીને પોતાની આક્રમકતા યોગ્ય દિશામાં લગાવવી જોઇએ. તેમણે એ પણ જણાવ્યું કે ટેસ્ટ ક્રિકેટથી યોગ્ય સમયે સંન્યાસ લેનારા મહેન્દ્ર સિંહ ધોનીના 'નિશ્વાર્થ નિર્ણય' સમ્માન થવું જોઇએ.
શાસ્ત્રીએ જણાવ્યું કે કોહલીની આક્રમકતામાં કોઇ ખરાબી નથી, પરંતુ તેને ભવિષ્યમાં યુવા ટીમને એક ખતરનાક ટીમના રૂપમાં ઢાળવા માટે ઉપયોગમાં લેવી જોઇએ. તેમણે જણાવ્યું કે કોહલી યુવા કપ્તાન છે જે સમયની સાથે સારા ક્રિકેટર અને કપ્તાન બનશે.

શાસ્ત્રીએ જોકે જણાવ્યું કે તેમના આ નિર્ણયની ટાઇમિંગને લઇને સવાલ ઊઠાવનારાઓને એ જાણ નથી કે ધોનીએ ભારતીય ક્રિકેટને શું આપ્યું છે. તેમણે આવતા મહિને વનડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમની સાથે પૂર્ણકાલિન ભૂમિકા નિભાવવાના પણ સંકેત આપ્યા.












Click it and Unblock the Notifications
