Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મયપ્પનને ક્લીન ચીટ; શ્રીનિવાસન ફરી બીસીસીઆઇ ચીફ બનશે?

srinivasan-bcci-chief
કોલકત્તા, 29 જુલાઇ : ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ની બે સભ્યોની તપાસ સમિતીએ આઇપીએલ સ્પોટ ફિક્સિંગ કેસમાં ચેન્નાઇ સુપર કિંગ્સને ક્લીન ચીટ આપી દીધી છે. આ તપાસ સમિતીને એન શ્રીનિવાસનના જમાઇ ગુરુનાથ મયપ્પનની વિરુદ્ધ કોઇ પુરાવા મળ્યા નથી. આ મહત્વના ઘટનાક્રમથી માનવામાં આવે છે કે શ્રીનિવાસન 2 ઑગસ્ટ સુધીમાં ફરી બીસીસીઆઇના પ્રમુખ બની શકે છે.

ચેન્નાઇ સુપર કિંગ્સ અને મયપ્પનને ક્લિન ચીટ આપ્યા બાદ શ્રીનિવાસનને ફરીથી બીસીસીઆઇના અધ્યક્ષ બનાવી દેવામાં આવે અને તેઓ પોતાનું કામકાજ સંભાળે તેવી શક્યતા પ્રબળ બની છે. આગામી 2 ઑગસ્ટના રોજ બોર્ડની વર્કિંગ કમિટીની અને આઇસીસીઆઇની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક દિલ્હીમાં યોજાવાની છે. આ બેઠકમાં આઇપીએલ સ્પોટ ફિક્સિંગના મામલે અંતિમ નિર્ણય લેવામાં આવશે.

આ દમરિયાન બીસીસીઆઇના ઉપાધ્યક્ષ નિરંજન શાહે જણાવ્યું કે તપાસ પેનલ દ્વારા આઇપીએલ સ્પોટ ફિક્સિંગ અને સટ્ટાબાજી કાંડમાં શ્રીનિવાસનની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સની વિરુદ્ધ કોઇ પુરાવા મળ્યા નથી. જેના કારણે એન શ્રીનિવાસન બીસીસીઆઇના પ્રમુખ પદે પાછા ફરી શકે છે. તેઓ બીજી ઓગસ્ટે યોજાનારી આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરી શકે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X