મયપ્પનને ક્લીન ચીટ; શ્રીનિવાસન ફરી બીસીસીઆઇ ચીફ બનશે?

ચેન્નાઇ સુપર કિંગ્સ અને મયપ્પનને ક્લિન ચીટ આપ્યા બાદ શ્રીનિવાસનને ફરીથી બીસીસીઆઇના અધ્યક્ષ બનાવી દેવામાં આવે અને તેઓ પોતાનું કામકાજ સંભાળે તેવી શક્યતા પ્રબળ બની છે. આગામી 2 ઑગસ્ટના રોજ બોર્ડની વર્કિંગ કમિટીની અને આઇસીસીઆઇની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક દિલ્હીમાં યોજાવાની છે. આ બેઠકમાં આઇપીએલ સ્પોટ ફિક્સિંગના મામલે અંતિમ નિર્ણય લેવામાં આવશે.
આ દમરિયાન બીસીસીઆઇના ઉપાધ્યક્ષ નિરંજન શાહે જણાવ્યું કે તપાસ પેનલ દ્વારા આઇપીએલ સ્પોટ ફિક્સિંગ અને સટ્ટાબાજી કાંડમાં શ્રીનિવાસનની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સની વિરુદ્ધ કોઇ પુરાવા મળ્યા નથી. જેના કારણે એન શ્રીનિવાસન બીસીસીઆઇના પ્રમુખ પદે પાછા ફરી શકે છે. તેઓ બીજી ઓગસ્ટે યોજાનારી આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરી શકે છે.












Click it and Unblock the Notifications
