IND vs AUS: ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમ સામે મોટી વિપદા, જાડેજા-પંત બેટિંગ નહિ કરે!
IND vs AUS: ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમ સામે મોટી વિપદા, જાડેજા-પંત બેટિંગ નહિ કરે!
ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાઈ ટીમે ભારતીય ટીમ સામે 407 રનનો લક્ષ્ય રાખ્યો. બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 6 વિકેટના નુકસાન પર 312 રન બનાવ્યા બાદ ઈનિંગ ડિક્લેર કરી દીધી. ચોથી ઈનિંગમાં 407 રનનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે જબરદસ્ત શરૂઆત કરી અને બંને જ સલામી બેટ્સમેન રોહિત શર્મા અને શુભમન ગિલે સારી શરૂઆત કરી. પરંતુ બાદમાં બંને આઉટ થઈ ગયા. શુભમન ગિલે 31 રન બનાવી હેઝલવુડની બોલ પર કિપરને કેચ થમાવી દીધો તો બીજી તરફ 52 રનની ઈનિંગ રમ્યા બાદ રોહિત શર્મા કમિંસના બોલ પર સાઈડમાં પુલ મારવાના ચક્કરમાં સ્ટાર્કને પોતાનો કેચ થમાવી બેઠા. ચોથા દિવસનો ખેલ સમાપ્ત થવા સુધી ભારતીય ટીમે 2 વિકેટના નુકસાન પર 98 રન બનાવી લીધા છે.

જો કે પાંચમા દિવસના ખેલની શરૂઆત ટીમના કેપ્ટન અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારા કરશે. પરંતુ પાંચમા નંબરે હનુમા વિહારી બાદ ટીમના બે બેટ્સમેન પર સવાલ ઉભો થઈ ગયો છે. રવિન્દ્ર જાડેજા અને રિષભ પંતના બેટિંગ કરવા પર હજી પણ સસ્પેન્સ બનેલો છે. ઈજા બાદ રિષભ પંતને નેટ પર સ્ટૈપ અને સ્ટ્રૈપ વિનાનો અભ્યાસ કરતો જોવા મળ્યો, પરંતુ આ દરમ્યાન તે સહજ નહોતો દેખાઈ રહ્યો. જ્યારે રવિન્દ્ર જાડેજા પણ પહેલી ઈનિંગમાં બેટિંગ કરતી વખતે ઘાયલ થઈ ગયા હતા. તેમના હાથના અંગૂઠામાં ઈજા પહોંચી છે.
એવામાં જ્યારે રવિન્દ્ર જાડેજા અને રિષભ પંત બેટિંગ કરી શકે તેમ નથી ત્યારે ચેતેશ્વર પુજારા, હનુમા વિહારી અને અજિંક્ય રહાણે પર જ આખી ટીમનો આધાર છે. આ ત્રણેય બેટ્સમેને જ ટીમની કમાન સંભાળવી પડશે અને પાંચમા દિવસે મેદાનમાં ટકીને બેટિંગ કરવી પડશે. બીજી ટેસ્ટમાં કેપ્ટન અજિંક્ય રહાણેએ જેવી રીતે સદી ફટકારી હતી અને બીજી ઈનિંગમાં અણનમ બેટિંગ કરતાં ટીમને જીત અપાવી હતી, તે બાદ ઉમ્મીદ કરવામાં આવી રહી છે કે ફરી એકવાર ભારતીય ટીમની નૈય્યાં પાર લાગાવી શકે છે.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા




Click it and Unblock the Notifications
