Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ચેમ્પિયન ટ્રોફી પહેલા ભૂલથી પણ ના આવતા આ અફવામાં

ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલ મેચ પહેલા અફવાની બજારો થયું છે ગરમ. વિરાટ બિમાર હોવાની ખબરો આવી છે બજારમાં....

ચેમ્પિયન ટ્રોફી 2017ના બીજા સેમીફાઇનલમાં બાંગ્લાદેશને 9 વિકેટે હરાવ્યા પછી ભારતનો ફાઇનલમાં રવિવારે પાકિસ્તાન સાથે રમશે. જો કે પાકિસ્તાન સાથેની મેચ પહેલા મીડિયામાં તેવી ખબરો ફરતી થઇ હતી કે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની તબિયત ખરાબ થઇ ગઇ છે. જેના કારણે તે લંડન દવા લેવા ગયા હતા. મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી બિમાર છે. વિરાટે બાંગ્લાદેશ વિરુદ્ધની સેમીફાઇનલ મેચમાં 96 રનો જોરદાર સ્કોર આપ્યો હતો. સાથે જ તે વનડેમાં સૌથી ઝડપથી 8000 રન બનાવનાર ખેલાડી પણ બની ગયા હતા.

VIRAT KOHLI

એક ટીવી ચેનલના કહેવા મુજબ વિરાટ મેચ જીત્યા પછી તરત જ બસમાં બેસી લંડન જવા માટે નીકળી ગયા હતા. જો કે ટીમ ઇન્ડિયાએ આ સમાચારનું ખંડન કર્યું છે. ભારતીય ક્રિકેટ ટીમે મીડિયા મેનેજર ગૌરવ સક્સેનાએ મીડિયાને કહ્યું હતું કે કોહલી બિમાર નથી. અને તેમની તબિયત ખરાબ હોવાની વાત એકદમ ખોટી છે. ઉલ્લેખનીય છે શ્રીલંકા વિરુદ્ધની મેચમાં તે 0 રને આઉટ થઇ ગયા હતા. પણ ત્યારે વિરાટની તબિયત સારી છે તે વાત જાણીને ક્રિકેટ પ્રેમીઓએ હાશકારો અનુભવ્યો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X