ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના નવા કોચ બનવા જઈ રહ્યા છે? જાણો કેમ શરૂ થઈ ચર્ચા?
કોલકત્તા નાઈટ રાઈડર્સને આઈપીએલ 2024 ની ટ્રોફી જીતાડવામાં ટીમના મેન્ટર ગૌતમ ગંભીરની મોટી ભુમિકા રહી છે. હવે અહેવાલ છે કે ગંભીર ટીમ ઈન્ડિયાના નવા કોચ બની શકે છે.
કોલકત્તાની વિજયની ઉજવણી વચ્ચે આઈપીએલ ફાઈનલ માટે હાજર રહેલા BCCI સેક્રેટરી જય શાહે મળવા અને શુભેચ્છા પાઠવવા ગૌતમ ગંભીર માટે સમય કાઢ્યો હતો અને બાદમાં લાંબી વાતચીત કરતા જોવા મળ્યા હતા, આનાથી ગંભીરને ભારતના મુખ્ય કોચ તરીકે સંભાળવાની અટકળો તેજ થઈ છે.

ગંભીર મુખ્ય કોચ તરીકે રાહુલ દ્રવિડની જગ્યા લેવા રેસમાં સૌથી આગળ છે. રાહુલ દ્વવિડનો કાર્યકાળ જૂનમાં 2024 T20 વર્લ્ડ કપ પછી સમાપ્ત થાય છે. દ્રવિડ આ પદ માટે ફરીથી અરજી કરવા ઇચ્છુક ન હોવાથી BCCIએ અરજદારોને આ પોસ્ટ માટે આમંત્રણ આપ્યું છે. આ કરાર 2027 ODI વર્લ્ડ કપના અંત સુધી ચાલશે.
BCCIની શોધ દરમિયાન કેટલાક ઓસ્ટ્રેલિયન દિગ્ગજોને ભારતના મુખ્ય કોચના પદ સાથે જોડવામાં આવ્યા હતા, જેમાં રિકી પોન્ટિંગ અને જસ્ટિન લેંગર વિકલ્પો હતા, પરંતુ બંનેએ આ ભૂમિકા માટે અરજી કરવાનો ઇનકાર કર્યો છે.
જય શાહે સ્પષ્ટ કર્યું કે બીસીસીઆઈએ ક્યારેય આ બંનેનો સંપર્ક કર્યો ન હતો અને કહ્યું હતું કે બોર્ડ ઇચ્છે છે કે કોઈ ભારતીય ભૂમિકા નિભાવે.
દૈનિક જાગરણના અહેવાલ અનુસાર, દ્રવિડની જગ્યા માટે રસ ધરાવતા ગંભીરે હજુ સુધી ભારતના મુખ્ય કોચના પદ માટે પોતાની અરજી સબમિટ કરી નથી, આઈપીએલ ફાઈનલ પછી ચેન્નાઈમાં બીસીસીઆઈના કેટલાક ટોચના અધિકારીઓ સાથે બેઠક બાદ તે અરજી કરશે તો બીસીસીઆઈ તેને સત્તાવાર રીતે દ્રવિડના અનુગામી તરીકે જાહેર કરશે.












Click it and Unblock the Notifications
