જો કોહલી કુંબલેનો આજે પણ વિવાદ હોત તો ગાંગુલી આ ફેસલો લેત, જાણો વિનોદનો જવાબ
જો કોહલી કુંબલેનો આજે પણ વિવાદ હોત તો ગાંગુલી આ ફેસલો લેત, જાણો વિનોદનો જવાબ
નવી દિલ્હીઃ ભારત ક્રિકેટમાં આવું પહેલીવાર બન્યું જ્યારે બીસીસીઆઈના અધ્યક્ષ અને નેશનલ ટીમના કેપ્ટન બંને મહાન શખ્સિયત છે. એક ભારતના પૂર્વ કેપ્ટન ગાંગુલી છે અને બીજા વર્તમાન કેપ્ટન વિરાટ કોહલી. વિરાટે ભારતને આઈસીસી ટેસ્ટ રેંકિંગમાં નંબર એક સ્થાન અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તેની જ ધરતી પર અભૂતપૂર્વ ટેસ્ટ સીરિઝમાં જીત અપાવી હતી. કોહલી એક સાનદાર બેટ્સમેન છે પણ ભારતના પૂર્વ કોચ અનિલ કુંબલે સાથે તેની ચર્ચિત અણબણને પગલે આજે પણ કેટલાક પ્રશંસકરો વિરાટ કોહલીથી નારાજ છે.

કોહલી-કુંબલે વિવાદ પર વિનોદનું મંતવ્ય
સૌરવ ગાંગુલીએ બુધવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની કમાન જેવી સંભાળી કે પ્રશાસકોની સમિતિના પ્રમુખ વિનોદ રાયે કોહલી-કુંબલેના વિવાદિત મુદ્દા પર વાત કરી. તેમણે જણાવ્યું કે કેવી રીતે બીસીસીઆઈના નવા અધ્યક્ષ સૌરવ ગાંગુલી આવા પ્રકારની ગડબડી કેવી રીતે નિપજાવત જો તે આજે હોત. 'ઘણો વિવાદ થયો હતો. આને સારી રીતે કોણ સંભાળી શકત? જો આજે આવું થયું હોત તો સૌરવ કુંબલેએ કોહલીને બરાબરનું કહી દીધું હોત.પરંતુ આનાથી વધુ તણાવ પેદા થઈ શકતો હતો. મેં કુંબલેનું સન્માન કર્યું કેમ કે તેઓ ખુદ જ બહાર થઈ ગયા.' વિનોદ રાયે હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલ એક સાક્ષાત્કારમાં આ વાત જણાવી.

કોહલી-શાસ્ત્રીને ફ્રી હેન્ડ આપ્યો
અનિલ કુંબલેએ જૂન 2017માં કોહલી સાથે વિવાદને પગલે કોચિંગ છોડી દીધું, તેમણે કહ્યું કે કપ્ટાન સાથે તેના સંબંધ અસ્થિર હતા. બીસીસીઆઈએ ભારતીય શિબિરમાં કોઈપણ વિભાજનથી ઈનકાર કર્યો હતો. કુંબલેના કારણે ફરી વર્તમાન કોચ રવિ શાસ્ત્રીને લેવામાં આવ્યા, જે કોહલી સાથે મધુર સંબંધોને કારણે હંમેશાથી ચર્ચિ રહે છે. જ્યારે પૂછવામાં આવ્યું કે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સીઈઓએ કોહલી અને શાસ્ત્રીને ફ્રી હેન્ડ એટલે કે પૂરી છૂટ આપી દીધી હતી, ત્યારે રાયે જવાબ આપ્યો કે જો તમે કોચ અને કપ્તાનને ફ્રી હેન્ડ નથી આપતા તો તમે કોને આપો છો? કેમ કે કોહલી અને શાસ્ત્રો પર ફેસલો લેવા નહોતા બેઠા માટે મેં બીજાઓને હસ્તક્ષેપ કરવાની અનુમતિ ન આપી.

કુંબલેનો કાર્યકાળ કેમ ન વધી શક્યો?
ડિસેમ્બર 2018માં ડાયના એડુલ્જીએ વિનોદ રાયને લખ્યું હતું જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે "કોહલી સીઈઓને હંમેશા એસએમએસ મોકલ્યા હતા, જેના પર તમે કામ કર્યું હતું અને કોચમાં બદલાવ થયો હતો." કુંબલેને સર્વશ્રેષ્ઠ ઉપલબ્ધ કોચ કહેતાં રાયે કહ્યું કે જો સંભવ હોય તો તેમણે કુંબલેનો કાર્યકાળ વધારી દીધો હોત. જો તેમના કરારમાં એક્સ્ટેંશન કલમ હોત તો મેં વધારી દીધો હોત. હું કુંબલેને બહુ સન્માન આપું છું. પરંતુ કોઈ એક્સ્ટેન્શન ક્લૉજ નહોતો એટલે અમે સીએસી પર પરત આવી ગયા. અમને આ વારસામાં મળી છે, અમેએ સીએસી નથી બનાવ્યું.

ગાંગુલી પણ કોહલીને નહોતા મનાવી શક્યા
રાયે ખુલાસો કર્યો કે કોહલી-કુંબલેના મામલે સીએસીના સભ્ય સચિન તેંડુલકર અને સૌરવ ગાંગલી સાથે તેમની લાંબી વાતચીત થઈ હતી. જો કે ત્યાં સુધી કે તેએ પણ આ વિષયે કોહલીને રાજી ન કરી શક્યા. મેં સચિન અને સૌરવની સાથે એક લાંબી વાતચીત કરી હતી. ચેમ્પિયન ટ્રોફી દરમિયાન બર્મિંઘમમાં સચિનને મળ્યો હતો. તેઓ કુંબલે અને વિરાટને મળ્યા હતા, અને લાંબી વાતચીત કરી. ત્યારે કોહલીને એટલો નહોતો જાણતો. સૌરવે મને હાલમાં જ જણાવ્યું કે સચિને કોહલી સાથે લાંબી વાતચીત થઈ. જો તે કોહલીને મનાવી નહોતા શક્યા તો હું કઈ રીતે મનાવી શકું? જુઓ જો કેપ્ટન અને કોચની વચ્ચે ડ્રેસિંગ રૂમમાં અંતર હોય છે, તો કોને બદલી શકાય છે? સ્પષ્ટ છે, કોચને? અમે બાદમાં એજ કર્યું. હાલમાં જ ગાંગુલી દ્વારા બીસીસીઆઈ અધ્યક્ષનું પદ સંભાળ્યા બાદ સીઓએના 33 મહિના લાંબો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
