IND vs AUS 1st Test: ભારતે ટૉસ જીતીને બેટિંગનો નિર્ણય લીધો
આજે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે વર્ષની સૌથી હાઇ પ્રોફાઇલ સીરિઝની પ્રથમ મેચ એડિલેડમાં યોજાઈ રહી છે.
નવી દિલ્હી: આજે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે વર્ષની સૌથી હાઇ પ્રોફાઇલ સીરિઝની પ્રથમ મેચ એડિલેડમાં યોજાઈ રહી છે. કોરોનાકાળમાં આ અત્યાર સુધીની સૌથી પ્રતિષ્ઠિત અને હેવીવેઇટ સીરિઝ છે. ચાર મેચોની ટેસ્ટ સીરિઝની પહેલી મેચ એટલા માટે પણ ખાસ છે કારણ કે વિદેશી ધરતી પર ભારતની આ પહેલી ડે-નાઈટ મેચ છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા ભારતે કોલકાતામાં બાંગ્લાદેશ સામે પિંક બોલ ટેસ્ટ રમી હતી અને સરળતાથી જીત મેળવી હતી. વળી, ઑસ્ટ્રેલિયા માટે પિંક બોલ નવો નથી અને તેનો પોતાની ધરતી પર બધી ડે-નાઈટ ટેસ્ટ મેચ જીતવાનો સો ટકા રેકોર્ડ છે.

ભારતે આ મેચમાં ગિલ અને રાહુલને બહાર રાખ્યા છે જ્યારે પૃથ્વી શો પર દાવ લગાવ્યો છે. આ ઉપરાંત બોલિંગમાં નવદીપ સૈની અને સિરાજ જેવા યુવાનોને સ્થાન મળી શક્યા નહિ અને ઉમેશ યાદવ ત્રીજા સીમર તરીકે જોડાયો. વિકેટકિપીંગ કૌશલને જોતા પંતના બદલે સાહાની પસંદગી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર વિરાટ કોહલીની આ છેલ્લી મેચ હશે. આ પછી તે સ્વદેશ રવાના થઈ જશે. બંને ટીમોના પ્લેઈંગ ઈલેવન નીચે મુજબ છે -
ભારતીય ટીમઃ
પૃથ્વી શૉ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, હનુમા વિહારી, વૃદ્ધિમન સાહા (વિકેટકીપિંગ), આર અશ્વિન, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ.
ઑસ્ટ્રેલિયા ટીમઃ
જો બર્ન્સ, મેથ્યૂ વેડ, મારનસ લાબુશેન, સ્ટીવન સ્મિથ, ટ્રેવિસ હેડ (વિકેટકીપિંગ/કેપ્ટન), કેમેરન ગ્રીન, ટિમ પેન, પેટ કમિંસ, મિશેલ સ્ટાર્ક, નાથન લિયોન, જોશ હેઝલવુડ.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
