કોહલીની સેના આ ચાર નાયક, જાણે અપાવી અદ્ઘભૂત જીત
ભારત અને ઇગ્લેન્ડની છેલ્લી ટેસ્ટ મેચને 75 રન સાથે જીતી ભારતે પાંચેય મેચોની આ સિરિઝને 4-0થી પોતાના નામે કરી લીધી છે. ત્યારે આ જીત માટે જવાબદાર આ ચાર નાયકો વિષે વધુ વાંચો...
ચેપક સ્ટેડિયમમાં આજે ભારત અને ઇગ્લેન્ડની મેચમાં ઇગ્લેન્ડને 75 રનથી હરાવી ભારતે એક સોનરી જીત મેળવી છે. ભારતે ઇગ્લેન્ડ સામેની આ છેલ્લી મેચની એક ઇનિંગ 75 રનથી જીતી લીધી છે. અને આ સાથે જ ભારત પાંચેય મેચ વાળી આ સિરિઝ 4-0થી પોતાના નામે કરી લીધી છે. ત્યારે ભારતને આ અદ્ઘભૂત જીત અપાવનાર નાયકોથી મળો અહીં...

લોકેશ રાહુલ
ભારતના બેટ્સમેન લોકેશ રાહુલે 199 રનો સાથે ટીમ ઇન્ડિયાને આપી મજબૂતી. જો કે તે પોતાની બેવડી સદી પૂર્ણ ના કરી શક્યા પણ તમને બેટિંગ ત્યારે કામમાં આવી જ્યારે ટીમને જીતની તાતી જરૂર હતી.

કરુણ નાયર
ત્રણ સદી ફટકારીને રેકોર્ડ બનાવનાર અદ્ઘભૂત ખેલાડી કરુણ નાયરની સફળતા, ટીમ ઇન્ડિયા વર્ષો સુધી યાદ રાખશે. ટીમ ઇન્ડિયાની જીતમાં તેની આ ત્રેવડી સદી મહત્વની હતી. જેણે અનેક રેકોર્ડ પણ સર્જ્યા.

રવિન્દ્ર જાડેજા
આપણા ગુજરાતી ખેલાડી રવિન્દ્ર જાડેજાએ બીજી ઇનિંગમાં 7 વિકેટ લીધી. મુંબઇ ટેસ્ટમાં પણ તે તેમના શ્રેષ્ઠ ફોર્મમાં જોવા મળ્યા હતા. અને કોઇ પણ ક્રિકેટ પ્રેમી માટે તેમને રમતા જોવા એક લાહવો છે.

કેપ્ટન વિરાટ કોહલી
ભલે ચેન્નઇના ટેસ્ટમાં કેપ્ટન વિરાટ કોહલીની દમદાર બેટિંગ ના જોવા મળી. પણ તેમની કેપ્ટનશીપના કારણે જ ટીમ ઇન્ડિયા ઇગ્લેન્ડથી 4-0માં જીતી છે તે વાત ભૂલવા જેવી નથી. એટલું જ નહીં આ સીરિઝ દરમિયાન કોહલી પોતાનો બેસ્ટ સ્કોર આપ્યો અને બેવડી સદી ફટકારીને સફળતાનો નવો આધ્યાય લખ્યો.

પાર્થિવ પટેલ
પૂરા 8 વર્ષ સુધી ટીમ ઇન્ડિયાથી દૂર રહેનાર ગુજરાતી ક્રિકેટર અને વિકેટકિપર પાર્થિવ પટેલ તેમની બોલિંગથી તે સાબિત કરી દીધું કે તેમની ટીમ ઇન્ડિયામાં પાછી પસંદગી કરીને ટીમે કંઇ જ ખોટું નથી કર્યું.

આર અશ્વિન
આર અશ્વિન ઇગ્લેન્ડ વિરુદ્ધ રમવામાં આવેલી આ સમગ્ર સીરિઝના હિરો રહ્યા હતા. તેમની ફિરકીએ ઇંગ્લેજોને મેદાન છોડવા માટે મજબૂર કર્યા હતા.
-
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
IPL 2026: SRH માટે ડબલ ખુશખબર; પેટ કમિન્સની વાપસી નજીક, ઈજાગ્રસ્ત કાર્સની જગ્યાએ શ્રીલંકન ખેલાડી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો?






Click it and Unblock the Notifications
