બ્લાઇન્ડ ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનને હરાવી ભારત બન્યું વિશ્વ વિજેતા
બ્લાઇન્ડ ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનને 9 વિકેટથી હરાવી ભારત બન્યું વિજેતા.
ટી-20 બ્લાઇન્ડ વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાન ને 9 વિકેટથી હરાવી વર્લ્ડ કપ પોતાને નામ કરી લીધો છે. બેંગ્લુરૂના ચિન્નાસ્વામી મેદાનમાં ભારતે શાનદાર રમતનું પ્રદર્શન કરતાં પાકિસ્તાનને ફાઇનલ મેચમાં 9 વિકેટથી માત આપી હતી.

પાકિસ્તાને ભારતને 198 રનનો લક્ષ્યાંક આપ્યો હતો અને ભારતે માત્ર 17.2 ઓવરમાં આ લક્ષ્ય પાર કરવામાં સફળતા મેળવી અને માત્ર એક જ વિકેટ ગુમાવી. ભારતે કોઇ અડચણ વિના પાકિસ્તાનને માત આપી વર્લ્ડ કપ જીત્યો છે. ઉલ્લેખનીય છે કે, આ વર્લ્ડ કપની પેહલી મેચમાં પણ ભારતે પાકિસ્તાનને માત આપી હતી.
પાકિસ્તાન અને ભારતની આ શ્રૃંખલા દરમિયાન ભારતે શાનદાર રમતનું પ્રદર્શન કરી ફાઇનલમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ શ્રૃંખલામાં પાકિસ્તાને પોતાની તમામ લીગ મેચમાં જીત મેળવી, માત્ર એક જ લીગ મેચમાં તેણે ભારત સામે હારવાનો વારો આવ્યો. પાકિસ્તાને ઇંગ્લેન્ડને 147 રનથી હરાવીને ફાઇનલમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ મેચમાં પાકિસ્તાને શાનદાર બેટિંગ કરતાં 20 ઓવરમાં 309 રન બનાવ્યા હતા. તો બીજી બાજુ ભારતે શ્રીલંકાને હરાવીને ફાઇનલમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
-
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે










Click it and Unblock the Notifications
