IPL 2019: સનરાઈઝર્સ હૈદરાબાદે કરી સ્પષ્ટતા, કોણ હશે ટીમનો કેપ્ટન
IPL 2019: સનરાઈઝર્સ હૈદરાબાદે કરી સ્પષ્ટતા, કોણ હશે કેપ્ટન
નવી દિલ્હીઃ સનરાઈઝર્સ હૈદરાબાદ પાસે બે એવા મોટા ખેલાડીઓ છે જે કપ્તનીના પ્રબળ દાવેદારોમાં સામેલ છે. એક બાજુ જ્યાં બોલ ટેન્પરિંગ કાન્ડ બાદ વાપસી કરી રહેલ ધુરંધર કંગારૂ બેટ્સમેન ડેવિડ વોર્નર છે તો બીજી બાજુ હાલના સમયના સૌથી મહાન બેટ્સમેનમાં સામેલ ન્યૂઝીલેન્ડ ટીમના કેપ્ટન કેન વિલિયમસન છે. એવામાં હૈદરાબાદ સામે આ સમસ્યા હતી કે આખરે કેપ્ટન કોને બનાવવા.

પરંતુ હવે તે સવાલ પણ ઉકેલાઈ ગયો છે અને તેનો જવાબ ખુદ ટીમના મેન્ટર વીવીએસ લક્ષ્મણે આપ્યો છે. લક્ષ્મણે કહ્યું કે તેઓ વિસ્ફોટક બેટ્સમેન વોર્નરના આવવાથી ભારે ખુશ છે અને તેમનું માનવું છે કે વોર્નરની નેતૃત્વ ક્ષમતાના અનુભવથી ટીમને ફાયદો થશે. આ દરમિયાન લક્ષ્મણે સ્પષ્ટ કર્યું કે કેન વિલિયમસન ફરી એકવાર ટીમની આગેવાની કરશે, જ્યારે વોર્નરના સૂચન ટીમના સભ્યો માટે મહત્વના છે.
લક્ષ્મણે કહ્યું કે વોર્નર એક વર્લ્ડ ક્લાસ ક્રિકેટર છે જે અમારા માટે ગર્વની વાત છે કે અમે તેમને પરત મેળવી શક્યા. આ ઉપરાંત ટીમના કોચ ટૉમ મૂડીએ કીવી કેપ્ટન કેન વિલિયમસનને કેપ્ટન નિયુક્ત કરવા વિશે વાત કરતા જણાવ્યું કે, આપણે બધા જાણીએ છીએ કે વિલિયમસન બધા જ ફોર્મેટના શાનદાર ખેલાડી છે. તેમણે પાછલા વર્ષે એક કેપ્ટન અને ઓપનર બેટ્સમેન તરીકે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ મોકા પર ટીમના બોલર કોચ મુથૈયા મુરલીધરન પણ હાજર હતા જેમણે પોતાની ટીમની બોલિંગને સૌથી મજબૂત માનતા જણાવ્યું કે ભુવનેશ્વર કુમાર જેવા બોલર્સ હોવા છતાં અમને બોલિંગમાં ચિંતા કરવા જેવી કોઈ વાત નથી જણાવી.
આ પણ વાંચો- IPL 2019: મુંબઈ ઇન્ડિયન્સની ઓપનિંગ પર 'હિટમેન' રોહિત શર્માનો મોટો ફેસલો
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
