CSKએ પણ MI જેવી ભૂલ કરી, શરૂઆતી ઓવરમાં જ શુભમન ગિલને જીવનદાન
આઇપીએલ 2023નો ફાઇનલ મુકાબલો આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહ્યો છે. ચેન્નઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ ખિતાબ જીતવા માટે મેદાન-એ-જંગમાં છે. ચેન્નઇ સુપર કિંગ્સે ટોસ જીતી ગુજરાતને પહેલાં બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું.

જો કે, ધોનીના પ્લાનિંગ પર દિપક ચહરે પાણી ઢોરી મૂક્યું. તુષાર દેશપાંડેના બોલ પર શુભમન ગિલે કેચ ચડાવ્યો હતો પરંતુ દિપક ચહરે કેચ છોડી શુભમન ગિલને જીવનદાન આપી દીધું. ઉલ્લેખીય છે કે શુભમન ગિલ સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે અને તેવામાં ગિલને જીવનદાન આપવું એટલે મેચ હાથમાંથી છોડી દેવા બરાબર છે.
ઉલ્લેખનીય છે કે મુંબઈ ઈન્ડિયન્સે પણ આવી જ ભૂલ કરી હતી અને શુભમન ગિલને ક્વૉલિફાયર 2 મુકાબલામાં 3 જીવનદાન આપ્યાં હતાં, આ જીવનદાન મળ્યા બાદ શુભમન ગિલે સદી ફટકારી મુંબઈના હાથમાંથી ગેમ છીનવી લીધી હતી.












Click it and Unblock the Notifications
