IPL 2024 : રોહિત શર્માની વિકેટનો જશ્ન મનાવતા ચેન્નાઈ સુપર કિંગ્સના ફેનની હત્યા, જાણો પુરી ઘટના
આઈપીએલમાં મેદાન પર ઘણી વખત ખેલાડીઓને આક્રમક થતા તમે જોયા હશે. ઘણી વખત મેચ દરમિયાન બન્ને ટીમના ફેન્સ વચ્ચે બબાલ પણ તમે જોઈ હશે. જો કે કોલ્હાપુરના એક ગામમાં મામલો આગળ વધીને મર્ડર સુધી પહોંચી ગયો.
અહેવાલો અનુસાર, મુંબઈ ઈન્ડિયન્સના કેટલાક સમર્થકોએ રોહિત શર્માની વિકેટની ઉજવણી કરી રહેલા એક પ્રશંસકને માર માર્યો. આ ફેન ચેન્નાઈ સુપર કિંગ્સનો હતો.

આ ઘટના મહારાષ્ટ્રના કોલ્હાપુરની છે. સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં રોહિત શર્માની વિકેટ પડ્યા બાદ આ ફેન્સે ઉજવણી કરી હતી. આ પછી મુંબઈ ઈન્ડિયન્સના બે સમર્થકો ગુસ્સે થઈ ગયા અને જીવલેણ હુમલો કરી દીધો.
આ 63 વર્ષના વ્યક્તિની ઓળખ બંદોપંત બાપુસો તરીકે થઈ છે. રોહિત શર્માની વિકેટની ઉજવણી કર્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સના બે સમર્થકોએ તેની હત્યા કરી છે. બંદોપંત કોલ્હાપુરના ગામ હમંતવાડીમાં કેટલાક લોકો સાથે ટીવી પર મેચ જોઈ રહ્યા હતા.
આ પછી રોહિત શર્માની વિકેટ પડી અને તેણે ઉજવણી કરી. આનાથી 35 વર્ષીય સદાશિવ ઝાંઝે અને 50 વર્ષીય બળવંત મહાદેવ ગુસ્સે થયા.
આ પછી બંનેએ મળીને 63 વર્ષીય ઉજવણી કરી રહેલા ચાહક બંદોપંત પર લાકડીઓ વડે હુમલો કર્યો. પીડિતને માથામાં ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ત્યાં સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયુ. પોલીસે બંને ગુનેગારો સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.












Click it and Unblock the Notifications
