IPL 2026: આ 5 ખેલાડીઓ છેલ્લી આઈપીએલ રમશે? લઈ શકે છે નિવૃત્તિ
IPL 2026: ઈન્ડિયન પ્રીમિયર લીગનો રોમાંચ ચરમસીમાએ છે, પરંતુ આ સીઝન ક્રિકેટ પ્રેમીઓ માટે થોડી ભાવુક કરનારી રહેશે. લીગના ઈતિહાસના એવા કેટલાક નામો જેમણે વર્ષો સુધી મેદાન પર રાજ કર્યું છે, તેઓ હવે આ રંગીન સફરને અલવિદા કહેવાની તૈયારીમાં છે. વધતી ઉંમર અને ફોર્મમાં ઘટાડા વચ્ચે આ 5 દિગ્ગજ ખેલાડીઓ આ સીઝન પછી ક્રિકેટના સૌથી મોટા મંચ પરથી નિવૃત્તિની જાહેરાત કરી શકે છે.

MS ધોની
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની શાન અને ઓળખ સમાન મહેન્દ્ર સિંહ ધોની હવે 44 વર્ષના થઈ ગયા છે. છેલ્લા બે-ત્રણ સીઝનથી તેમની નિવૃત્તિની અટકળો ચાલી રહી છે, પરંતુ IPL 2026 ખરેખર તેમની કારકિર્દીનો છેલ્લો પડાવ હોઈ શકે છે. CSKમાં જે રીતે પરિવર્તનનો સમય ચાલી રહ્યો છે, ધોની કદાચ આ સીઝન પછી સંપૂર્ણપણે મેન્ટરની ભૂમિકામાં જોવા મળે.
સુનીલ નરેન
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના સૌથી મોટા મેચ વિનર સુનીલ નરેનની જાદુઈ બોલિંગ અને તોફાની બેટિંગનો યુગ હવે અંત તરફ છે. વેસ્ટ ઈન્ડિઝનો આ દિગ્ગજ ખેલાડી હવે પોતાની ફિટનેસ અને બોલિંગ એક્શનના પડકારોનો સામનો કરી રહ્યો છે. માનવામાં આવે છે કે 2026 તેની સુવર્ણ IPL કારકિર્દીનું અંતિમ વર્ષ હશે.
અજિંક્ય રહાણે
37 વર્ષના અજિંક્ય રહાણેએ છેલ્લા કેટલાક વર્ષોમાં IPLમાં પોતાની જાતને સાબિત કરી છે, પરંતુ 2026માં KKR ટીમ મેનેજમેન્ટ યુવાનોને પ્રાધાન્ય આપી શકે છે. જો આ સીઝન રહાણે માટે સામાન્ય રહેશે, તો તે સન્માન સાથે નિવૃત્તિ લઈને કોચિંગ અથવા કોમેન્ટ્રીનો રસ્તો પસંદ કરી શકે છે.
ઈશાંત શર્મા
ભારતીય ક્રિકેટના અનુભવી ફાસ્ટ બોલર ઈશાંત શર્મા હવે 38 વર્ષની ઉંમરની નજીક છે. T20 ક્રિકેટની વધતી રફ્તાર અને ફિટનેસની સમસ્યાઓને જોતા ઈશાંત માટે IPLની આગામી સીઝનમાં જગ્યા બનાવવી મુશ્કેલ હશે. દિલ્હી કેપિટલ્સના આ ખેલાડી માટે આ ફેરવેલ (વિદાય) સીઝન હોઈ શકે છે.
માર્કસ સ્ટોઈનિસ
આ જાણીને કદાચ નવાઈ લાગશે, પણ માર્કસ સ્ટોઈનિસ પણ આ યાદીનો ભાગ છે. વધતી ઉંમર અને ઈજાઓને કારણે તેની ઓલરાઉન્ડ ક્ષમતા પર અસર પડી છે. મેગા ઓક્શન અને પંજાબ કિંગ્સની નવી વિચારધારાને કારણે સ્ટોઈનિસ કદાચ આ સીઝન પછી વિદેશી લીગ પર વધુ ધ્યાન આપે તેવી શક્યતા છે.












Click it and Unblock the Notifications
